________________
५७७
સનમ: :
धर्मवानपि विज्ञोऽपि, सूनृतेतरभाषणात् । न नन्दति निरानन्दो, मन्त्रपाठी यथाऽशुचौ ॥१३५॥ असारे विभवेऽमुष्मिन्, सारो सूनृतगीर हो ! । क्षाराम्बुधाविव क्षीरकूपिका तर्पिकाऽधिकम् ॥१३६।। प्रशस्येत्यवदद् धात्रीपुङ्गवः श्रेष्ठिपुङ्गवम् । पौत्रस्यार्थे कथं नोक्तं, भवता सूनृतेतरत् ? ॥१३७।। स्वामिन् ! श्वेताम्बराचार्यद्रुमघोषपदान्तिके । गृह्णता भावतः सर्वव्रतानि बहुभेदतः ॥१३८।। विशेषतो व्रतेऽप्यस्मिन्, निश्चयो विदधे मया । असावेतर्हि यौष्माकादेशतः परिपालितः ॥१३९॥
ધર્મી હોય જાણકાર હોય છતાં અસત્ય વચનથી અશુચિમાં મંત્રપાઠીની જેમ તે આનંદથી રહી શકતા નથી. (૧૩૫)
અહો ! ક્ષાર સમુદ્રમાં (ખારા) ક્ષીરકૂપિકા (મીઠા પાણીની વિરડીની જેમ) આ અસાર વૈભવમાં સત્યવાણી એક સારરૂપ છે.” (૧૩૬)
આ પ્રમાણે પ્રશંસા કરી રાજાએ શ્રેષ્ઠીને કહ્યું કે, “પૌત્રને ખાતર પણ તમે અસત્ય કેમ ન બોલ્યા ?” (૧૩૭)
તે બોલ્યો કે, “હે સ્વામિન્ ! શ્વેતાંબરાચાર્ય શ્રી ઠુમઘોષની પાસે સર્વવ્રતો વિવિધ ભેદથી ભાવપૂર્વક ગ્રહણ કરતાં (૧૩૮)
તે વ્રતગ્રહણમાં મેં વિશેષ નિશ્ચય કર્યો હતો કે કદી અસત્ય ન બોલવું, આજે આપના આદેશથી તે વ્રત મેં બરાબર પાળ્યું છે.” (૧૩૯).
પછી તેનો સત્કાર કરી તેના ભાલપર સત્યને સૂચવનાર