Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 501
________________ ८९८ श्री मल्लिनाथ चरित्र वरं वृणु महाभाग !, तुष्टाऽहं नियमश्रुतेः । अमोधं दर्शनं दैवं, धुविद्युदिव वृष्टिकृत् ॥५१३॥ सोऽप्याऽऽख्यत् प्रियया साकं, यथा भोगो भवेद् मम । तथा कुरु पयोदेवि !, परोपकृतिलालसे ! ॥५१४।। समुत्पाट्य करेणाऽथ, तत्पत्नीभवनाङ्गणे । देव्याऽसौ मुमुचे वेगाद्, लाजाञ्जलिरिवाऽपरः ॥५१५॥ भग्नो दृष्टः कुमारेण, वाजी दारुविनिर्मितः । प्रिया च रुदती शोकशङ्कमूढविचेतना ॥ ५१६॥ देव्यूचे वत्स ! तेऽभीष्टं, साम्प्रतं करवाणि किम् ? । सोऽप्याऽऽख्यद् वाजिनं सज्जं, कुरु पूज्ये ! यशस्विनि ! ॥५१७॥ તારો દઢ નિયમ સાંભળવાથી તારા પર સંતુષ્ટ થઈ છું માટે વર માંગ. વૃષ્ટિકરનાર દિવસની વિજળીની જેમ દેવદર્શન અમોઘ હોય છે.” (૫૧૩) રાજકુમાર બોલ્યો કે, પરોપકારમાં તત્પર હે જળદેવી ! મારી પ્રિયાની સાથે મારો યોગ થાય તેમ કર. (૫૧૪) એટલે તરત જ તેને હાથમાં ઉપાડીને લાજની (ધાણીની) અંજલિ હોય તેમ દેવીએ ભવનમંજરીના મહેલના આંગણમાં મૂકી દીધો. (૫૧૫). ત્યાં કાષ્ઠનો ભગ્ન થયેલો અશ્વ અને શોકરૂપ ખીલાથી મોહિત થયેલ ચેતનાવાળી તથા રૂદન કરતી પોતાની પ્રિયા તે કુમારના જોવામાં આવી. (૫૧૬). પછી જળદેવી બોલી કે, “હે વત્સ ! હવે મારું શું અભીષ્ટ કરું?” તે બોલ્યો કે, “હે પૂજય! આ અશ્વને સજ્જ કરી આપો.”

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524