________________
अथ प्रशस्तिः
तमोपहारी सद्वृत्तो, गच्छश्चन्द्रोऽभवद् भुवि ।
'
चित्रं न जलधी रागं, यत्र चक्रे कदाचन ॥१॥
तस्मिन्नभूत् शीलगुणाभिधानः, सूरिः समापूरितभव्यवाञ्छः । यत्पञ्चशाखः किल कल्पवृक्षश्छायां नवीनां तनुते जनानाम् ॥२॥
यत्पाश्वं किल देवता त्रिभुवनस्वामिन्युपेता स्वयं, पूर्वप्रीतितरङ्गितेव वचसा बद्धैव कष्टेव च । सौभाग्याद्भुतवैभवो भवमहाम्भोराशिकुम्भोद्भवः, श्रीमानत्र स मानतुङ्गगणभृन्नन्द्यादविद्यापहः ||३||
સત્કૃત્ત (ગોળાકાર અથવા સદાચારી) અને તમોપહારી (અંધકાર અથવા અજ્ઞાનને દૂર કરનાર) એવો ચંદ્ર નામે ગચ્છ પૃથ્વીપર પ્રસિદ્ધ થયેલો છે, પણ આશ્ચર્ય એ છે કે જેની ઉપર કોઇવાર પણ સમુદ્રે રાગ કર્યો નથી. (૧)
તે ગચ્છમાં ભવ્યજનોની વાંછાને પૂરનાર એવા શીલગુણ નામે આચાર્ય થયા. જેમનું પંચ શાખાયુક્ત કલ્પવૃક્ષ લોકોને નવીન પ્રકારની છાયા આપે છે. (૨)
એ ગચ્છમાં પૂર્વ પ્રીતિથી તરંગિત થઇ જાણે વચનથી બંધાયેલી હોય અથવા આકર્ષિત થયેલી હોય તેમ શ્રી ત્રિભુવનસ્વામિની દેવી જેમની પાસે આવતી હતી એવા, સૌભાગ્યથી અદ્ભુત વૈભવવાળા, અવિદ્યા-અંધકારને દૂર કરનારા અને સંસારરૂપ મહાસાગરને માટે અગસ્તિ ઋષિ જેવા શ્રીમાન્ માનતુંગ નામે જયવંત આચાર્ય થયા. (૩)
ત્યાર પછી જેમની લાવણ્યથી પવિત્ર અને ઉત્તમ રસવતી સમાન ભારતી (વાણી) વ્યાખ્યા-પર્વમાં પ્રાણીઓને પરિપાકપણાથી