Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 521
________________ ૧૬૮ સટ્ટો અને સંસાર ! જે સટોડીયો સટ્ટાના ધંધામાં શરૂઆતમાં જ ફાવે, એ અંતે પ્રાયઃ પાયમાલ થઈને જ રહે, અને જેને શરૂમાં નુકશાન થાય, એ બહુ સાવચેત થઈ જાય અને એથી એને ખોવાનો અવસર ઓછો આવે આ સંસાર પણ સટ્ટા જેવો છે. સંસારમાં ફાવનારા તો પ્રાયઃ પાયમાલીના પંથે જવાના ! ફાવટમાં ય જે બહુ જ સાવચેત રહે, એ બચી જાય ! અસારની સાધના હોય ખરી ? શાસ્ત્રોમાં ઠામ ઠામ પહેલી વાત એ આવે કે, સંસાર અસાર ! ને બીજી એ વાત આવે કે, મનુષ્યભવ દુર્લભ ! હવે તમે જ વિચારો કે, જે શાસ્ત્રો સંસાર અસાર કહ્યા પછી મનુષ્યભવની દુર્લભતા સમજાવે છે. એ શાસ્ત્રો કદી મનુષ્યભવમાં અસાર-સંસારની સાધના કરવાનું કહે ખરાં ! અમારો ધંધો કઠિન છે ! અમારો આ ધર્મોપદેશનો ધંધો ઘણો કઠિન છે. કારણ કે જે ચીજો પર તમને અતિપ્રેમ છે. એ ચીજોને જ અમારે તમારી સામે રોજ અસાર અને ભૂંડી સમજાવ્યા કરવાની અને એ સાંભળવા માટે તમને રોજ અહીં આવતા રાખવાના ! એ ભણતરમાં ધૂળ પડી ! આજે ભણતર વધ્યું છે-એવી વાતો બહુ હાંકવામાં આવે છે. ડીગ્રીધારીઓનો તો આજે રાફડો ફાટ્યો છે. પણ એ ભણતરનું પરિણામ શું ? અહીં બેઠેલો કોઈપણ બાપ છાતી ઠોકીને એવું કહી શકે એમ છે કે-‘મારા ભણાવેલા દીકરામાં મને પૂરો વિશ્વાસ છે.

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524