________________
श्री मल्लिनाथ चरित्र
७३२
तत्रस्थैव नमस्कारतत्परा नृपवल्लभा । सकलां गमयामास, क्षणवत्क्षणदां मुदा ॥८८६॥ ततस्तस्याः पतिर्वृत्तं, यक्षिण्या अवगम्य च । तमुपाश्रयमागत्य, देव्या अनुनयं व्यधात् ॥८८७|| आर्यपुत्र ! न ते किञ्चित् कुप्यामः कर्मणे भृशम् । निमित्तमात्रं सर्वोऽप्यपराधगुणयोरपि ॥८८८॥ अथोवाच नृपो देवि !, कर्मणे 'कुप्यसि कथम् ? । साऽऽचख्यौ मूलतो वृत्तं, प्रवर्तिन्या निवेदितम् ॥८८९ ॥ निशम्योचे नृपः प्राच्यकर्मणां फलमीदृशम् । अनुभूतमनुस्यूतमिव पत्न्या भवे भवे ॥८९० ॥
સમસ્ત રાત્રિ ત્યાં જ આનંદપૂર્વક વ્યતિત કરી. (૮૮૬) એવામાં તે યક્ષિણીનો વૃત્તાંત જાણી તેનો પતિ ઉપાશ્રયમાં આવી તેની આગળ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. (૮૮૭)
એટલે તે બોલી કે, “હે આર્યપુત્ર ! મારે આપની ઉપર કશો રોષ નથી. કારણ કે આ બધુ મારા પૂર્વકર્મથી થયું છે. અપરાધ કે ગુણમાં બીજા બધા તો નિમિત્તમાત્ર જ હોય છે.” (૮૮૮)
પછી રાજાએ કહ્યું કે, “હે દેવી ! કર્મ ઉપર પણ શા માટે રોષ કરે છે ? એટલે સાધ્વીએ કહેલો તેના પૂર્વભવનો વૃત્તાંત તેણે મૂળથી કહી સંભળાવ્યો. (૮૮૯)
તે સાંભળી રાજાએ કહ્યું કે, અહો ! પૂર્વકર્મનું આવું ફળ કે જે સાથે જોડાયેલાની જેમ ભવોભવ મારી પત્નીના અનુભવવામાં આવ્યું.” (૮૯૦)
,,
પછી પ્રવર્તિનીને નમસ્કાર કરી રાણી સહિત રાજા પોતાના ૨. મુિ વ્યસૌત્યપિ ।