________________
६४९
HH: 1: येऽर्थाः विश्वस्तघातेन, येऽर्था मित्रवधादपि । न तेऽर्थाः सुचिरं सन्ति, वयालीढा गृहा इव ॥४८५॥ इतश्चेतो भोगदत्तो, दग्धां सूत्रभृतः कुटीम् । दृष्ट्वा पप्रच्छ सुहृदं, तुम्बकं तव संनिधौ ? ॥४८६॥ मित्रौकः संस्थितं तुम्बं, भस्मराशिरजायत । अद्यापि भाग्यलेशोऽपि, नावयोः क्रियतां कथम् ? ॥४८७।। अथो तौ निर्गतौ तस्मात्, प्राप्य वैभारपर्वतम् । स्मृतेष्टदेवतौ यावद्, झम्पां दातुं समुद्यतौ ॥४८८॥ तावन्महीभृतः शृङ्गे, कायोत्सर्गस्थितो मुनिः । उभाभ्यां समतां तन्वन्, ददृशेऽसौ दृशोः पुरः ॥४८९॥
કારણ કે, “જે ધન વિશ્વાસઘાત અને મિત્રવધથી મેળવેલું હોય તે અગ્નિથી આલીઢગૃહની (-બળતા) જેમ બહુકાળ ટકી શકતું નથી. (૪૮૫)
હવે ભોગદત્ત નગરમાં ફરી ત્યાં આવ્યો એટલે સુથારની ઝૂંપડી બળેલી જોઈ તેણે મિત્રને પૂછ્યું કે, “તુંબડું તારી પાસે છે કે નહીં ?” (૪૮૬)
એટલે તે બોલ્યો કે, “હે મિત્ર ! ઝુંપડામાં રાખેલું તે તુંબડું ભસ્મીભૂત થઈ ગયું. હજુ પણ આપણા ભાગ્યનો લેશમાત્ર ઉદય થયેલો જણાતો નથી.” (૪૮૭)
પછી ત્યાંથી નીકળી તે બંને વૈભારગિરિ ઉપર ગયા. ઈષ્ટદેવનું સ્મરણ કરી પૃપાપાત ખાવા તૈયાર થયા. (૪૮૮).
એટલામાં પર્વતના શિખર ઉપર કાયોત્સર્ગમાં રહેલા દૃષ્ટિવડે સમતાને વિસ્તારતા એક મુનિ તેમના જોવામાં આવ્યા. (૪૮૯)