________________
(2) નિલાભિજાતિ : પોતાના શરીરમાં કાંટા ભોંકીને જેઓ ચાર પ્રલયોનો
ઉપયોગ કરે છે તેવા યતિઓનો સમાવેશ આ જૂથમાં થાય છે. (3) લોહિતાભિજાતિ: જેઓ માત્ર એક જ વસ્ત્ર પહેરે છે તેવા મહાવીરના
શિષ્યોનો સમાવેશ આ જૂથમાં થાય છે. (4) હારિદ્રાભિજાતિ : આજીવિક સંપ્રદાયમાં માનનારાં સામાન્ય સ્ત્રી
પુરૂષોનો સમાવેશ આ જૂથમાં થાય છે. (5) શુક્લાભિજાતિ : આજીવિકના સાધુઓ અને સાધ્વીઓનો સમાવેશ
આ જૂથમાં થાય છે. (6) પરમશુક્લાભિજાતિ નંદાવક્કા, કિસા સાંકિક્કો અને ખાલી
ગોસાલાનો સમાવેશ આ જૂથમાં થાય છે.
આજીવિક સિદ્ધાંત, અભિજાતિઓ અને વેશ્યાના નિર્ગાથા સિદ્ધાંત વચ્ચે નિકટનો સંબંધ છે. કોણ કોના ઋણી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ડૉ. જેકોબી અને ડૉ. બરૂઆનો અભિપ્રાય છે કે લેસ્યાનો જૈન સિદ્ધાંતએ અભિજાતિના આજીવિકા સિદ્ધાંતમાંથી ઉછીનો લીધેલો છે તેમ જ તેના પર આધારિત છે. આ દરખાસ્તને આપણે પછીથી ધ્યાન પર લઈશું.
હાલમાં એટલું કહેવું પૂરતું થઇ રહેશે કે આ બધી જ છયે કક્ષાઓ કેવળ (મનુષ્યોના) પ્રકારનો નિર્દેશ કરે છે અને તેથી બાકી રહેતા બધા તેમાંથી બાકાત થઈ જતા નથી અથવા તો અન્ય કોઈ ખાસ વિશિષ્ટ સંપ્રદાયમાં પણ તેમનો સમાવેશ થતો નથી. આમ ઉદાહરણ તરીકે ચોથી અને પાંચમી કક્ષાઓ આજીવિકના ભક્તો, સંન્યાસીઓ અને સંન્યાસીઓનો નિર્દેશ કરે છે, પરંતુ તે કક્ષાઓ કેવળ તેમના પૂરતી જ નિયંત્રિત છે એવું અર્થઘટન કરવું જોઈએ નહિ, પરંતુ એ પ્રકારની આધ્યાત્મિક પ્રાપ્તિની કક્ષા પ્રાપ્ત કરેલા સર્વે માટે તે છે.
તેજ પ્રમાણે અંતિમ, છેલ્લી અને સર્વોત્તમ કક્ષા જે માત્ર આજીવિકાના ત્રણ આગેવાનોનો નિર્દેશ કરે છે તે માત્ર એ ત્રણ પૂરતી જ મર્યાદિત છે એમ સમજીને તેને માન્ય કરવાની જરૂર નથી પરંતુ તેઓ સઘળા કે જેમણે વિકાસશીલ ઉત્ક્રાંતિ દ્વારા તે જ પ્રકારની હૃદયની શુદ્ધતા પ્રાપ્ત કરી હોય તેમનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે.
તેના પોતાના ધર્મપંથમાંથી ઉદાહરણો આપ્યા છે તેનાથી આપણે
- ૩૦૨ -