Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 420
________________ છે. એવી કાયર વ્યક્તિ જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી તે યુદ્ધના સમયે પોતે ખાઈની અંદર કે ગીચ ઝાડી ઝાંખરાંની અંદર કે અન્ય છૂપાવાનાં સ્થળોએ ચાલી જાય છે. તેથી કેટલાક શ્રમણો જેઓ જાણે છે કે મારી પવિત્રતાનો લોપ સ્ત્રી કે જળ એ બેમાંથી કોના કારણે થયો છે તેની કોને ખબર પડશે ? (6) અંતિમ શીર્ષક એ પાખંડો છે. તદ્દન સ્વાભાવિક રીતે કેટલાક શ્રમણો આવાં પ્રલોભનોમાં પડે છે અને પછી તેઓ એક ગૃહસ્થ કરતાં પણ વધુ ખરાબ વર્તન કરે છે. જો કોઈ સ્ત્રી તેના ખોળામાં સૂઈ જાય તો તે એમજ કહેશે, “હે મહાશયી મેં કંઈ જ ખોટું કર્યું નથી. તેણી તો કેવળ મારા ખોળામાં નિંદ્રાધીન જ થઈ છે.” આવા નકાર શ્રમણોની નીતિમત્તા હંમેશાં સારી હોતી નથી. આવા નઠારા શ્રમણો નઠારા બળદો જેવા છે. નઠારા બળદો ને જ્યારે ગાડા સાથે જોડવામાં આવે છે એવું જ કંઈક નઠારા શિષ્યો વિશે છે. તેઓને જ્યારે ધર્મપંથના નિયમોના શકટ સાથે જોડવામાં આવે છે, ત્યારે તેઓ પવિત્રતાના અભાવે ખોટકાઈ જાય છે. આ માટે ડૉ.વિન્ટરની એક સુંદર રસપ્રદ વાર્તાનો સંદર્ભ આપ્યો છે. 1. પરિસહા-સુધા 2. તૃષા છે. ઠંડી 4. ગરમી s. gad files 6. નગ્નતા 7. નિયંત્રિત વસ્તુઓથી અસંતોષ થવો 8. નારીઓ 9. ચંચળ જીવન 10. અભ્યાસનું સ્થળ 11. રહેઠાણ 12. ગાલિપ્રદાન 13. શારીરિક શિક્ષાઓ 14. કશીક વસ્તુ માટે યાચના કરવી 15નકાર સાંભળવા મળવો 16. બીમારી 17. કાચ ભોંકાવો 18. મલિનતા 19. માયાળુ અને આદરયુક્ત સત્કાર 20. સમજદારી 21. અજ્ઞાન 22. ન્યાયીપણું–નેકી Page-9. Lec-II uttaradhyayan - 1 આ બધી મુશ્કેલીઓ અને ભયસ્થાનો Sutrakritanga Book-1st, Lecture 3rd and 4th, માં દર્શાવવામાં આવ્યું છે. નઠારા શિષ્યોનું વર્તન સુંદર રીતે ઉત્તરાધ્યયનના 27મા પ્રવચનમાં પાન નં150 ઉપર અને તેજ પાના ઉપર 17 મા પ્રવચનમાં શ્લોક 77-78-79 દ્વારા વર્ણવવામાં આવેલ છે. આ નઠારા શ્રમણોના વર્તનનો ખ્યાલ આપવા માટે ઉપરનાં બંને સૂત્રોના સંક્ષેપ સ્વરૂપે પરિશિષ્ટ તરીકે આપી શકાય. ડૉ.વિન્ટરનિટ્સે પણ નઠારા સંન્યાસીનું દાંત આપ્યું છે. - ૩ -

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462