Book Title: Mahabharat Katha Part 01
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ નારાયણ અને નર नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमम् । देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् ॥ નારાયણને, નરોત્તમ નરને તથા દેવી સરસ્વતીને નમસ્કાર કરીને પછી નયનું આખ્યાન કરવું.” નય એ મહાભારત ગ્રન્થનું બીજું નામ છે. તે ધર્મસ્તતો નઃ એ મહાભારતને સંદેશ છે. યની સાચી વ્યાખ્યા આ ગ્રન્થ દ્વારા વ્યાસજીએ આપી છે, એ જોતાં પણ નય એવું એનું નામ સાર્થક છે. ભરતનાં સંતાને એ એના મુખ્ય પાત્ર છે, એટલે આ ગ્રન્થને “ભારત” પણ કહેવાય છે. ગ્રન્થનાં અસામાન્ય વિસ્તાર તથા મહત્તા જોતાં એને મહાભારત નામ આપવામાં આવ્યું છે. આ રચનું આખ્યાન રચતી વખતે એના રચનાર વ્યાસજીએ ત્રણ તને દૃષ્ટિ સમક્ષ રાખ્યાં છેઃ (૧) નારાયણને, (૨) નરોત્તમ નરને અને (૩) દેવી સરસ્વતીને. વાંચનારે તથા સાંભળનારે પણ એ ત્રણ તને નજર સામે રાખવાં જોઈએ – એ ગ્રન્થના વાચનશ્રવણમાંથી વધુમાં વધુ લાભ એને લેવો હોય તે. આ ગ્રન્થનારાયણને નજર સામે રાખીને લખાયેલ છે વાચક-વિશ્વના અંતરમાં પિઠેલા પ્રભુને જગાડવા માટે લખાયેલ છે. આ માત્ર વાણીવિલાસ નથી. એને હેતુ છે; અને એ હેતુ છે, વ્યક્તિ વ્યક્તિના અંતરાત્મામાં પ્રસુપ્ત પડેલ પરમાત્માને જગાડવાનો. આવી રીતે જેણે પિતાનામાં પહેલા પ્રભુને જગાડયા છે એ નર નરોત્તમ છે. અર્જુન એ નરોત્તમ નર છે અથવા કહે કે એવા નરોત્તમ નરત્વને સાધક છે. વાંચનાર ધારે તો તે અજુન જેવો જરૂર બની શકે છે, એ એ બને એવી મહાભારતના રચયિતાની ભાવના છે. નરોત્તમ નરેના નિર્માણના હેતુથી જ આ ગ્રન્થ લખાયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 370