________________
[૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪ क्षेत्रकालप्ररूपणाभेदादिच नाभिहितम् । इत्येवंलक्षण भ्रांन्ति समुभाविनी શિક્ષ' જણાવવામાં આવેલ “ધુના, થરા” વગેરે પદે ને પ્રયોગ કરેલ હોવાથી પ્રાયઃ ચોકકસ થાય છે કે તેઓ શ્રી બનારસીદાસના સમકાલીન છે. બનારસીદાસને સત્તાસમય “સમયસાર નાટકની પ્રશસ્તિ 'ને માણથી સોળમી–સત્તરમી શતાબ્દી ચેકકસ છે. એ ઉપરથી પ્રકાર મહર્ષિ સબધી સોળમી સત્તરમી શતાબ્દીના સત્તાસમયમાં પ્રત્યક્ષ વિરોધક કઈ હેતુ જણાતું નથી.
ગ્રન્થકાર મહર્ષિનું જન્મસ્થાન, માતાપિતા વગેરે વૃતાન્ત જાણવાનાં સાધનોની પ્રાપ્તિના અભાવે તે સંબધી અહિ ઉલ્લેખ કરવો અશક્ય છે. ફકત પ્રશસ્તિમાં આપેલ પટ્ટપરંપરાથી તેઓશ્રી કેની પટ્ટાવલીમાં થયા? કે દીક્ષા ગુરૂ હતા તે સુખેથી જાણી શકાય છે. પ્રશસ્તિ ઉપરથી સાથે સાથે એ પણ જાણી શકાય છે કે પ્રસ્તુત ગ્રન્થપ્રણેતા પૂર્વાવસ્થામાં લુંપકગચ્છના અધિપતિ હતા, સત્યવસ્તુને ફેટ થતાં અનેક સાધુઓના પરિવાર સાથે સમ્રાટ અકબરપ્રતિબકક જગગુરૂ ૧૦૦૮ શ્રીમાન વિહીરસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છીય એક સમર્થ વિદ્વાન તરીકે સુયશ પ્રાપ્ત કર્યો. તેઓશ્રીની પટ્ટપરંપરા આ પ્રમાણે છે:-જગદગુરૂ વિજયહીરસુરીશ્વરજી, કનકવિજયજી, શીલવિજયજી, કમલવિજયજી, સિદ્ધિવિજયજી, કૃપાવિજયજી, ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી, અહિં આપણને પ્રશસ્તિ ઉપરથી એક વસ્તુ એ પણ જણાઈ આવે છે કે તેઓને દીક્ષા આપનાર જગદગુરૂ હીરસુરીશ્વરજી છે, જ્યારે તેઓશ્રીના ગુરૂમહારાજ શ્રીમાન કૃપાવિજ્યજી છે. ગ્રન્થકાર મહાત્મા એક સમર્થ પંડિત હવા ઉપરાંત જમ્બર “વૈયાકરણ” હતા તેમ તેઓશ્રીએ રચેલા આ યુકિતાબોધ ગ્રન્થથી તેમજ હૈમકૌમુદી (અપરનામ–ચાવ્યાકરણ) ગ્રન્થથી સમજાય છે. પાણિની, કાત્યાયન, પતંજલિ એ ત્રણ મુનિથી મુદ્દાંકિત થયેલ પાણિનીય વ્યાકરણ ઉપરની “ કાશિક ” ટીકાને ભટ્ટજી દીક્ષિતે ઉદ્ધાર કર્યો અને ઘણું સુંદર “સિદ્ધાન્તકૌમુદી ” વ્યાકરણનું સરલ તેમજ બેધક પદ્ધતિથી આયોજન કર્યું તે પ્રમાણે સંખ્યાબંધ મુનિવરો તેમજ પંડિતોથી મુક્તિ થયેલ શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ ઉપરની વિશાલ અને પાંડિત્ય પરિપૂર્ણ “ પૃહદ્ગતિ ટીકાને ઘણું જ સંક્ષેપ સુબોધક પદ્ધતિથી ઉદ્ધાર કરી “હૈમકૌમુદી વ્યાકરણનું આજન કરી એક “સમર્થ વૈયાકરણ” તરીકેની દિગંતવ્યાપિની કીર્તિ સંપાદન કરવાનો લહાવે તેઓશ્રીએ ઉપાર્જન કર્યો છે. આ ગ્રન્થ સિવાય તેઓશ્રીએ રચેલા વર્ષપ્રબંધ, સખસન્ધાન મહાકાવ્ય પ્રમુખ સંખ્યાબંધ અન્યાન્ય ગ્રન્થનું અવલોકન કરવાથી તેઓશ્રીનું જ્યોતિષ, તેમજ સાહિત્યના વિષયમાં સુનિષ્ણાતપણું સ્પષ્ટ જણાઈ આવે છે.
ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજયજી, ઉપાધ્યાય માનવિજયજી, યોગીશ્વર આનન્દઘનજી, બાનવિમલસૂરિ, પંડિત પદ્મવિજયજી વગેરે અનેક પંડિત પુરૂષ આપણા ગ્રન્થકાર મહાશયના સમકાલીન પુરૂષ હતા, તેથી આ સોળમી-સત્તરમી શતાબ્દીનો સમય જ્ઞાનધિતમય હોવા ઉપરાંત રવદર્શનના સંરક્ષણયજ્ઞમાં આત્મભેગની આહુતિ આપનાર પુરૂષ અર્પણ કરનાર હતે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. 2થના વિષયનું વૈશિષ્ટ
બનારસીદાસના મતનું ખંડન એ આ ગ્રન્થને મુખ્ય વિષય છે. તે પણ સ્ત્રીમુક્તિ, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org