________________
ભગવાન શ્રી મહાવીરસ્વામી ઉપર “માંસાહારી નો આરોપ મૂકનાર શ્રી ગોપાળદાસ પટેલને
લેખક-આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી મહાશય ! તમે એ પુંજાભાઈ ગ્રંથમાળા તરફથી બહાર પાડેલ શ્રી ભગવતીજીના અનુવાદમાં ભગવાન મહાવીર મહારાજાની બાબતમાં અણસમજ ભરેલો અર્થ કર્યો છે એ ચક્કસ સમજી શકાય તેમ છે, છતાં તમોએ તમારી તે અણસમજને ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી ટીકાને જોઈને સુધારી નથી એટલું જ નહિ, પરંતુ તમે તમારા તે “પ્રસ્થાન'ના લેખમાં જણાવો છો કે મહારા ઘણા મિત્રોએ મહને તે શ્રી ભગવતીજીના અનુવાદમાં થયેલી ગેરસમજને સુધારવા અનેક પત્રોથી હિતની દષ્ટિએ સૂચના કરી છે. છતાં તમોએ તમારી ભૂલ નહિ સુધારતાં તે સૂત્રનો ઉલ અર્થ પકડી રાખવા સાથે મિત્રોની હિત દષ્ટિને પણ ધકકો માર્યો છે. એટલે પ્રથમ તમને આ ટુંક લખાણથી તે ભૂલ સુધારવાનો માર્ગ દેખાડું, છતાં જે સુધારે નહિ જ થાય તો પછી વિસ્તારથી લખવાની ફરજ બજાવવી જ મારા માટે એગ્ય ગણાશે.
ચર્ચાનો વિષયભૂત પાઠ આ પ્રમાણે છે" रेवतीए गाहावइणीए मम अट्ठाए हुवे कवोयसरीरा उवक्खडिया तेहिं नो अट्ठो, अत्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमप्तए तमाहराहि પણ કો” ૧ આ જણાવેલ પાઠમાં કોઈ પણ પ્રકારે તમો પાઠભેદ માનતા નથી. ૨ ભગવાન મહાવીર મહારાજને થયેલા પિત્તવર અને દાહની બાબતમાં તમારે
ભતભેદ નથી. તમે “ટુ કારણ?' એ પદેથી બે પારેવાનાં શરીર એમ લેવા માગે છે તે તમારે નીચેની હકીકત વિચારવાની જરૂર છે. અ. જે કબૂતરનું માંસ લેવું હોય તે “વોયા” એટલું જ લખવું યોગ્ય
છે, શબ્દ લગાડવાની જરૂર ન હોય (એમ હોય તે અહિં
પારે અર્થ લેવાય.) આ. માંસાહારના જે પ્રસંગે વિપાકસૂત્રાદિમાં અધર્મ માટે વર્ણવવામાં આવ્યા
છે તેમાં કોઈ પણ સ્થાનકે જાતિવાચક શબ્દની સાથે શરીર શબ્દ હતો
જ નથી (તેથી અહિં વનસ્પતિ અર્થ લે પડે.) છે. જે માંસ લેવાનું હોય તે તુવે એટલે બે ( કપોત શરીર) એમ
કહેવાનું હોય જ નહિ. ઈ. માંસને અંગે મશિપ વગેરે શબ્દો વપરાય છે. જુઓ ઉપાસકદશાંગનું મહાશતક અધ્યયન અને વિપાકસૂત્રો ભીમકૂટગ્રહિને આધકાર.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org