________________
અંક ૮] જેનલન અને પાત્ર દાન
[૪] સિદ્ધિક ભવ્ય જીવ છેવટે મહારાજાને હણીને વાસ્તવિક પૂરેપૂરી આત્મરમણતા પામે, એમ કહેવું યોગ્ય જ છે.
એ પણ ન જ ભૂલવું જોઈએ કે-પૂર્વોક્ત જ્ઞાનરૂપી અખૂટ ખજાનાના પ્રતાપે જ અશાતા વેદની દિ કર્મોના ઉદય કાલે મહાત્માઓને લગાર પણ કલેશ થતો નથી, આ વાત તે ગીતા પણ કબુલ કરે જ છે, જુઓ આ રહ્યો તેને સાક્ષિ ક–
શનિનોડક્શનિનશ્ચાત્ર, સને બાથમા છે.
न क्लेशो ज्ञानिनो धैर्यात् , क्लिश्यत्यज्ञो अधैर्यतः ॥ १ ॥ આ બાબતમાં અન્યત્ર નજર ફેંકતા, એકાંતવાદીઓ પણ પિતાની માન્યતા પ્રમાણે જ્ઞાનને પરમપદના કારણરૂપે તે માટે જ છે, એમ તેઓના જ શાસ્ત્રમાં કહેલા (૨) તે જ્ઞાનાન્ન મુનિર (ર) હaધંતિતરવ: સુરતે લાઃ (૨) જ્ઞાનrfઃ સર્વનામનિ મમતાસેક્ર, વગેરે પાઠોથી સિદ્ધ થાય છે. તે છતાં તેઓ અપેક્ષા જ્ઞાનના અભાવે એકલા જ્ઞાનથી જ મુક્તિ માને છે. એટલે ક્રિયાને સ્વીકારતા નથી. અને જૈન દર્શન જ્ઞાન યુકત ક્રિયાથી મુકિત માને છે. એટલે જ્યારે અલગ અલગ જ્ઞાનમાં અને ક્રિયામાં પરમપદ દેવાનું દેશથી સામર્થ્ય છે ત્યારે સંપૂર્ણ સામર્થ્ય તે ભેગા ભળેલા (દર્શન સહિત) બંનેમાં જ રહેલું છે, જેમ ગાડાને ચલાવવાનું સામર્થ્ય દરેક પડામાં અમુક અંશે છે અને બંનેમાં સર્વાશે રહેલું છે. એ પણ યાદ રાખવું કે જ્ઞાન વિનાની ક્રિયા આંધળાના જેવી કહી છે. અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળા માણસની જેવું સમજવું. આથી એમ સાબીત થયું કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મેક્ષમાર્ગ છે એટલે ત્રણેની સમુદિત આરાધના કરવાથી મેક્ષ મળી શકે છે.
સુપાત્ર દાન આવા મેક્ષ માર્ગની આરાધના કરવામાં ઉજમાલ જે હોય તે સુપાત્ર (મુનિરાજ વગેરે) કહેવાય. તેઓ પોતે સંસારસાગરને તરેલા છે અને તરે છે તેમજ બીજા ભવ્ય જીને પણ તારવા સમર્થ છે. પાત્રની પરીક્ષા કરવાના સંબંધમાં બીજા ગ્રંથમાં યુધિષ્ઠિર અને ભીમના સંવાદ પ્રસંગે-કૃષ્ણદીપાયને બંને ભાઈને સમજાવ્યું કે હે યુધિષ્ઠિર, જેમાં વિદ્યા અને તપ (ચારિત્ર-ક્રિયા) બંને હોય તે જ પાત્ર કહેવાય. આવા સુપાત્રના ગુણે જેમાં ન હોય તે કુપાત્ર કહેવાય. એટલે જૈનદર્શનમાં જેની શ્રદ્ધા ન હોય, વસ્તુ સ્વરૂપને જેને યથાર્થ બંધ ન હોય, સદ્વર્તન (મહાવ્રત-વ્રતાદિની આરાધના) ન હોય તેઓ કુપાત્ર કહેવાય. આ પ્રમાણે સુપાત્રદાનના પ્રસંગે કુપાત્રને ગુરૂબુદ્ધિથી દાન ન દેવાય એ બીના સમજવા માટે પાત્ર-કુપાત્રનું રવરૂપ ટુંકામાં જણાવ્યું. આવા દાનના પ્રસંગે ભવ્ય જીવોએ યાદ રાખવું કે સુપાત્રને અકય (ન ખપી શકે તેવા) પદાર્થો ન દેવાય, કારણ કે તેમ કરવાથી અલ્પાયુષ્યને બંધ પડે છે. અલ્પાયુષ્ય બાંધવાનાં ત્રણ કારણે આ પ્રમાણે સમજવા-. જીવને હણવાથી, ૨. જુઠું બોલવાથી અને ૩. સુપાત્રને દૂષિત વસ્તુ આપવાથી. વળી સુપાત્રને
તરપ્ટેડીને દાન ન દેવાય. કારણ કે તેવી રીતે દેનારા છ લાંબુ (ઘણી રિથતિવાળું) ગોળ અશુભાયુષ્ય બાંધે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org