________________
[ ૩૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૪
અલબત્ત ભગવાન મહાવીરના વ્યાધિનું કારણ તેોલેસ્યા નામક એક અલૌકિકબુદ્ધિમાં ન આવી શકે કે વૈદ્યક શાસ્ત્રમાં જેને પિરચય ન મળી શકે એવી વસ્તુ હતી. પણ જે વ્યાધિનું કારણ અલૌકિક કે બુદ્ધિગમ્ય ન હોય તેના ઉપચાર પણ અલૌકિક જ હોવા જોઇએ એવા નિયમ ન કરી શકાય. લાર્કિક કે અલૌકિક ગમે તે કારણથી ઉત્પન્ન થયેલ વ્યાધિની અસર છેવટે તેા શરીર ઉપર જ થવાની છે એ નિશ્ચિત છે. તે પછી એ વ્યાધિને (એના કારણને પણ નહી) વૈદ્યક દૃષ્ટિએ જોઇને વૈદ્યક દૃષ્ટિએ જ એને ઉપચાર કરવામાં આવે તો શું ખાટું છે? આપણા ચાલુ વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ કે કેટલાય લોકો અમુક વ્યાધિના કારણ તરીકે વળગાડ, ભૂત, પ્રેત કે અમુક પ્રકારની અશાતનાને માને છે, અને છતાંય તેવા વ્યાધિ વૈધક ઉપચારોથી જરૂર શાંત થાય છે.
ભગવાન મહાવીરના વ્યાધિ પણ છેવટે શારીરિક જ વ્યાધિ હતા. એટલે એના ઉપચાર પણ વૈદ્યક દૃષ્ટિથી વિરૂદ્ધુ જઇને તે ન જ થઇ શકે. અથવા તેા વૈદ્યકના વિધાન પ્રમાણે પણ એને ઉપચાર અવશ્ય થઈ શકે. એટલે મહાવીરસ્વામીના વ્યાધિ પરત્વે ઉપયાગી કયા પદાર્થો ડાઈ શકે તે વૈદ્યક શાસ્ત્રથી વિચારીએ. વૈદ્યક ગ્રન્થામાં પ્રમાણભૂત એવા સુશ્રુત નામના વૈદ્ય ગ્રન્થના ૪૬મા અધ્યાયમાં કુષ્માંડ (કાળા)ના ગુણ્ણા નીચે પ્રમાણે બતાવેલ છે.
पित्तघ्नं तेषु कूष्माण्डं बालं मध्यं कफापहम् । शुक्लं लघुष्णं सक्षारं दीपनं बस्तिशोधनम् ॥ २१३ ॥ सर्वदोषहर हृथं पथ्यं चेतोविकारिणाम् ॥
શાકોમાં બાળ કૂષ્માંડ (કેળું) પિત્તનાશક છે. મધ્ય કૂષ્માંડ કને નાશ કરનાર અને શુકલ કૂષ્માંડ હળવું, ક્ષારયુકત દીપન, મૂત્રવિશેાધક, સદોષને હરનાર, હૃદ્ય અને મનેાવિભ્રમવાળાને પથ્ય હોય છે.
તે જ ગ્રન્થમાં બીજોરાનું વન આ પ્રમાણે છે—
लध्वम्लं दीपनं हृद्यं मातुलुङ्गमुदाहृतम् ॥ त्वतिक्ता दुर्जरा तस्य वातक्रिमिकफापहा ॥ १४९ ॥ स्वादु शीतं गुरु स्निग्धं मांसं मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलच्छर्दि कफारोचकनाशकम् ॥ १५० ॥ दीपनं लघु संग्राहि गुल्मार्शोघ्नं तु केसरम् ॥ शूलानिलविबन्धेषु रसस्तस्योपदिश्यते ॥ १५१ ॥ अरुचा च विशेषण दे
कफमारुते ॥
માતુલુ'ગ (બીજોર્ં) હળવુ ખાટુ' અગ્નિદીપક હૃદ્ય છે; તેની છાલ (બીજોરાની છાલ) તિક્ત દુર્જર વાયુ, ક્રમી અને કને નાશ કરનારી છે; તેનું (બીજોરાનું) માંસ (ગ) સ્વાદું શીતલ, ભારે સ્નિગ્ધ વાત અને પિત્તનાશક, બુદ્ધિવર્ધક, શૂલ વાયુ વમન ક અને અરુચિને હરનાર છે; તેનાં કેસરાં અગ્નિદીપક હળવા ગ્રાહી ગુમા અને અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org