________________
હેનરીના ૫૬ વર્ષના અમલના ચાર વિભાગ પડે છે. (૧) રાજાની -બાલ્યાવસ્થા, (૨) સ્વતંત્ર રાજ્ય અને ગેરવહીવટ, (૩) સ્વછંદી રાજસત્તાને દાબવા અમીરના પ્રયત્નો, અને (૪) અખંડ શાન્તિ.
હેનરીની બાલ્યાવસ્થામાં પેમ્બ્રોકનો ઠાકર બે વર્ષ સારો કારભાર ચલાવી મરણ પામે, અને હ્યુબર્ટ ડી બર્ધ નામના ચતુર પુરુષના હાથમાં કારભાર આવ્યો. તેણે દેશમાંથી પોપની સત્તા ઓછી કરવાનું કામ હાથમાં લીધું, અને દેશમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કર્યા. મેટ થયા પછી પણ હેનરી બીજાઓની સલાહ પ્રમાણે ચાલતો. પરિણામે રાજ્યમાં અનેક જાતની ગેરવ્યવસ્થા દાખલ થઈ. રાજાની જોખમદાર પદવીને છાજતા ગુણો તેનામાં ન હતા. પોતાના ખાનગી જીવનમાં તે પવિત્ર હતો, અને તેના આશયો સારા હતા; પણ રાજા તરીકે તે તરંગી, ઉડાઉ, હઠીલે અને નમાલ નીવડ્યો. તેનામાં રાજનીતિના કઠણ પ્રશ્નોનો નિકાલ આણવાની શક્તિ નહોતીઃ વૈભવ અને વિલાસમાં રપ રહીને તે બીજાની બુદ્ધિએ ચાલતો. એથી દેશમાં અનેક પરદેશીઓ ભરાયા, અને પોતાનાં ગજવા ભરવા લાગ્યા. વળી પિતાના પરદેશી સંબંધીઓ અને મિત્રોના પિષણ માટે રાજા પણ પ્રજા પાસે પૈસાની માગણી કરતો, એટલે પ્રજામાં ઉંડે અસંતોષ ફેલાયો.
આ પૈસા મેળવવા માટે રાજાને ઘણી વાર અમીરે, ઠાકરે, અને ધર્માધ્યક્ષેની સભાઓ બોલાવવી પડતી, અને સુરાજ્યનાં વચનો આપવા પડતાં. પરંતુ નાણું મળ્યા પછી એ વચન પાળવામાં આવતાં નહિ. વળી, રાજા પિપને ન હતો, એટલે પિપ પણ વારંવાર ઇંગ્લેન્ડથી નાણુ મંગાવત. પિપના સ્વાર્થી હેતુઓ સાધવા માટે પૈસા આપતાં પ્રજાને અકળામણ થતી.
૧. હેરી મેટ થયો તે પછી તેને હ્યુબર્ટ જોડે તકરાર થઈ, એટલે તેને રજા આપવામાં આવી. તેના પર અનેક આરોપ મૂકવામાં આવ્યા, એટલે તેને કેદમાં પૂરવામાં આવ્યE રાજાએ હ્યુબર્ટને પકડવાનો હુકમ કર્યો, એટલે હ્યુબર્ટ કઈ ધર્માલયમાં ભરાઈ ગયો. પરંતુ ત્યાંથી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો, અને તેને પગે બેડી પહેરાવવાની એક લુહારને આજ્ઞા થઈ. લુહારે જવાબ આપ્યો, કે “આ માણસે ઈંગ્લેન્ડને પરદેશીઓથી બચાવ્યું છે, તેથી તેને બેડી પહેરાવતાં પહેલાં કઈ પણ પ્રકારે મારું મન થાય તે હે. વધારે પસંદ કરું છું.”