Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 198
________________ . भगवतीसूत्र-सम्मतितर्कविरोधपरिहार प इत्येवं भगवतीसूत्रादिवचनानुसारेण ये बीजरुचिसम्यक्त्वं बिभ्रति तैरपि स्व-परसमयपरिशीलनेन _ विस्तररुचितया भाव्यम्, अन्यथा कदाचित् परदर्शनिकृताऽऽक्षेपादिना विचिकित्सादितः बीजरुचि सम्यक्त्वमपगच्छेत् । ततश्च न केवलं “तमेव सच्चं णिस्संकं” (भ.सू.१/३/३०) इत्यागमवचननिर्भरतया म भाव्यम्, अपितु “चरण-करणप्पहाणा...” (स.त.३/६७) इति सम्मतितर्कवचनानुसन्धानेन यथाशक्ति स्व f-परदर्शनशास्त्रपरिशीलनपरायणतया भाव्यम् । न हि क्षयोपशमाऽध्यापकसंयोग-शारीरिकशक्ति-पुस्तकादिसामग्रीसाकल्येऽपि अत्यन्तं स्व १ परसमयाभ्यासोपेक्षणे सम्यक्त्वं सम्भवति, एकस्याऽपि योगस्य अरुचेः सम्यक्त्वबाधकत्वात् । णि क्षयोपशमादिवैकल्ये तादृशबोधविरहितस्य तु “तमेव सच्चं णिस्संकं” (भ.सू.१/३/३०) इत्यागमोक्त्या સંમતિતર્કગ્રંથનું વચન ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી જણાય છે. પરસ્પરવિરોધી તરીકે જણાતા ઉપરોક્ત આગમવચનનો અને પ્રકરણવચનનો તાત્પર્યાર્થ અમને આ પ્રમાણે જણાય છે કે “અરિહંતોએ જે કહેલ છે તે જ સાચું છે આ પ્રમાણે સમકિતી માને છે – આ વાત બીજરૂચિ સમ્યકત્વની અપેક્ષાએ ભગવતીસૂત્ર વગેરે આગમમાં બતાવેલ છે. પરંતુ પ્રસ્તુત આગમવચન મુજબ જે આરાધક જીવો બીજરુચિ સમ્યકત્વને ધારણ કરે છે તેઓએ પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોનું પરિશીલન કરવામાં પરાયણ રહેવું જોઈએ. જો જૈનાગમોનો અને અજૈન ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવામાં ન આવે તો ક્યારેક અન્ય ધર્મીઓ જૈનધર્મમાં ખોટો દોષ દેખાડે, જૈનાગમમાં દોષારોપણ કરે, જૈન ધર્મને ખોટો સિદ્ધ કરવાનો પ્રયાસ શ કરે તેવા સંયોગમાં સંક્ષેપરુચિ - બીજરુચિ સમકિતને ધારણ કરનાર મુગ્ધ આરાધક જીવને જૈનધર્મમાં, જૈન આગમમાં શંકા-કુશંકા-વિપર્યાસ વગેરે થઈ શકે છે. તેવું બને તો તેના લીધે તેનું બીજરુચિ સમકિત વી પણ રવાના થાય છે. તેથી “ભગવાને કહેલ છે તે જ સત્ય છે' - આવું માનવાથી અમારામાં સમકિત રહેશે - ટકશે. કારણ કે ભગવતીસૂત્રમાં તેવું જણાવેલ છે - આ પ્રમાણે ફક્ત આગમવચન ઉપર મુગ્ધ ી ભરોસો રાખીને બીજરુચિ સમકિતને ધરાવનાર જીવોએ દર્શનશાસ્ત્રાભ્યાસથી નિરપેક્ષ રહીને બેસી રહેવું ન જોઈએ. પરંતુ “ચરણસિત્તરીને અને કરણસિત્તરીને મુખ્ય કરવા છતાં પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોના પરિશીલનથી દૂર રહેનારા જીવો નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સારને (= વિસ્તારરુચિ સમ્યગ્દર્શનને) જાણી શકતા નથી' - આ પ્રમાણે સમ્મતિતર્કપ્રકરણમાં જે જણાવેલ છે તેનું અનુસંધાન કરીને પોતાની શક્તિને છૂપાવ્યા વિના જૈનાગમના અને અજૈન ગ્રંથોના પરિશીલનમાં પરાયણ રહેવું જોઈએ. | ( દિ.) ખરેખર, જ્ઞાનાવરણકર્મનો વિશિષ્ટક્ષયોપશમ, ભણાવનારનો સંયોગ, ભણવા માટે જરૂરી શારીરિક બળ, પુસ્તકાદિ સામગ્રી વગેરે સઘળું ઉપલબ્ધ હોવા છતાં પણ સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસની અત્યંત ઉપેક્ષા – અનાદર કરે તેનામાં સમકિત સંભવતું નથી. કારણ કે એક પણ યોગની અરુચિ એ સમકિતની બાધક છે. ક્ષયોપશમ વગેરે ન હોવાના લીધે તથાવિધ શાસ્ત્રબોધ જેની પાસે ન હોય તે વ્યક્તિમાં તો “તારક તીર્થકર ભગવંતોએ જે ભાખેલ છે તે જ નિઃશંક સત્ય છે...” આવા આગમવચનના આધારે સમકિત સંભવી શકે છે. આ રીતે ઉપરોક્ત ભગવતીસૂત્રવચનનો 1. તદેવ સત્યે નિ:શ 2. વર-વરVTVધાના /

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432