Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૫
० हेयोपादेयानवबोधे मिथ्यात्वम् । मज्झत्थो होति तु पमाणं” (प.क.भा.२६३९) इति । एतावता ज्ञानयोगस्य क्रियायोगाद् बलाधिकत्वं प (વ્યા
यथावस्थितहेयोपादेयादितत्त्वज्ञानशून्यानां गीतार्थाऽनिश्रितत्वे बाह्याचारसम्पन्नानामपि सङ्गः । परिहर्तव्यतयोपदिष्टः। तदुक्तं गच्छाचारप्रकीर्णके “जे अणहीअपरमत्थे गोयमा ! संजए भवे। तम्हा ते स वि विवज्जिज्जा दुग्गइपंथदायगे ।।” (ग.प्र.४३) इति। परमार्थतस्तु सम्यग्दर्शनमपि तेषां न विद्यते, शम-संवेगादिभावगर्भितात्मपरिणतिशून्यत्वात् । तदुक्तं सम्यक्त्वसप्ततिकायां 2“पल्लवगाही सबोहसंतुट्ठा । સુવ િવક્તમંતા તે હંસવાહિરા નેયા TI” (સ.સપ્ત.૬૮) રૂત્તિા શુદ્ધ મોક્ષમાર્ગપ્રરૂપણા. માટે તેની ભક્તિ માત્ર દ્રવ્યથી નહિ પણ દ્રવ્ય-ભાવ ઉભયથી કરવાની વાત સમ્યક્તપ્રકરણમાં કરેલ છે. પંચકલ્પભાષ્યમાં પણ કહે છે કે “આચારહીન હોવા છતાં શ્રુતજ્ઞાનસમૃદ્ધ મધ્યસ્થ સાધુ પ્રમાણ છે.” આટલા સંદર્ભથી સૂચિત થાય છે કે ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગ બળવાન છે.
સંવિગ્નાપાક્ષિકનું સ્વરૂપ It સ્પષ્ટતા - જિનાજ્ઞા મુજબ ચારિત્રજીવનના આચારને પાળતા હોય તે સાધુ “સંવિગ્ન” કહેવાય. વીર્યાન્તરાય કર્મના ઉદયથી જેઓ ચારિત્રાચાર પાળવામાં થોડા-ઘણા ઢીલા હોવા છતાં શુદ્ધ સંયમમાર્ગના પક્ષપાતી હોય, ચારિત્રાચાર આદિ બાબતમાં પોતાની ઢીલાશ જેમને ખટકતી હોય, આચારયુક્ત સંયમી પ્રત્યે જેઓ સદ્ભાવવાળા હોય, સુસાધુની પ્રશંસા-સહાય-સેવા કરનાર હોય તે “સંવિગ્નપાક્ષિક' (=સંવિગ્ન સાધુ પ્રત્યે પક્ષપાતવાળા) કહેવાય. જો સંવિગ્નપાક્ષિકને શાસ્ત્રબોધ હોય તો તેઓ અવશ્ય જિનોક્ત સિદ્ધાન્તની શુદ્ધ પ્રરૂપણા જ કરે.
છે અગીતાર્થ દુર્ગતિદાયક પણ બને ! છે (થા.) જિનેશ્વર ભગવંતે જે આશયથી, જે સ્વરૂપે હેય-ઉપાદેય-શેય તત્ત્વ બતાવેલ છે, તે આશયથી તે તે સ્વરૂપે તત્ત્વનો નિશ્ચય જે સાધુઓને ન હોય તેવા સાધુઓ જો ગીતાર્થનિશ્રિત ન હોય તો બાહ્ય ઉગ્ર શુદ્ધ ચારિત્રાચારથી સંપન્ન હોય તો પણ તેઓનો સંગ છોડવા લાયક છે તેવું શાસ્ત્રકારોએ દર્શાવેલ છે. તેથી જ ગચ્છાચારપન્ના નામના આગમમાં પણ પરમમહર્ષિએ જણાવેલ છે કે “હે ગૌતમ ! જેઓને જિનવચનના પરમાર્થનો તાત્ત્વિક પરિચય નથી તેવા જીવો કદાચ વ્યવહારથી સાધુ હોય તો પણ તેઓનો સંગ છોડવો. કારણ કે તેવા અજ્ઞ સાધુઓ દુર્ગતિના માર્ગને દેખાડનારા છે.” પરમાર્થથી તો તેવા સાધુઓમાં સમ્યગ્દર્શન પણ હોતું નથી. કારણ કે શમ = પ્રશમ, સંવેગ, નિર્વેદ વગેરે તાત્ત્વિક ભાવોથી ગર્ભિત એવી આત્મપરિણતિ તેવા અજ્ઞાની સાધુ પાસે હોતી નથી. શમ-સંવેગાદિ ભાવો ન હોય તો સમતિ તો ક્યાંથી હોય? કારણ કે શમ વગેરે ભાવો સમતિના લક્ષણ છે. તેથી જ સમ્યકત્વસતતિકા નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જે જીવો શાસ્ત્રોના ઉપરછલ્લા પદાર્થને પકડનારા હોય અને પોતાને જે જાણકારી મળેલી હોય તેમાં જ જેઓ સંતુષ્ટ હોય તેવા જીવો બાહ્ય દષ્ટિએ સાધનામાર્ગનો ઘણો બધો કઠોર પરિશ્રમ કરતા હોય તો પણ તેઓ સમ્યગ્દર્શનથી બાહ્ય છે – તેમ સમજવું.” 1. જે અનીતરમાથ: નૌતમ ! સંયતા: મયુર તસ્મા તાન ગ િવિવર્નચે ટુતિપથાથના 2. પત્નવગ્રાફિક स्वबोधसन्तुष्टाः। सुबहु अपि उद्यच्छन्तः ते दर्शनबाह्या ज्ञेयाः।।