Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
કર
૨૮
० संसारिषु सिद्धत्वं सत् । प प्रकृते “नाऽसतः सर्वथा भावो न नाशः सर्वथा सतः” (उ.सि.६) इति उत्पादादिसिद्धिप्रकरणे ग चन्द्रसेनसूरिवचनम्, “न च नाशोऽस्ति भावस्य, न चाऽभावस्य सम्भवः” (ज.क.ल.१/२४) इति जल्पकल्पलतायां .रत्ननन्दिवचनमपि न विस्मर्तव्यम् ।
ननु कृत्स्नकर्मक्षयात् सिद्धत्वमसदेव जायत इति चेत् ? श न, तस्याऽपि आत्मनि कथञ्चित् सत्त्वात् । तिरोभूतस्य तस्य तत एव आविर्भावाऽभ्युपगमात् । क तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “आत्मनः स्वाभाविकं सत् सिद्धत्वम् अनादिकर्माऽऽवृतं तदावरणf, विगमेन आविर्भवत्येव, न पुनरसदुपजायते इति प्रतिपत्तव्यम्, असतः खरविषाणस्येव जन्माऽयोगाद्”
છે. તલમાં તેલ ન હોવા છતાં ઘાણીમાં પીલવાથી તેલ ઉત્પન્ન થતું હોય તો રેતીને પીલવાથી પણ તેલ નીકળવું જોઈએ. પરંતુ તેવું બનતું નથી. માટે માનવું જોઈએ કે પૂર્વે પણ તલમાં સૂક્ષ્મરૂપે કે અવ્યક્તરૂપે તેલ વિદ્યમાન છે, પણ રેતીમાં વિદ્યમાન નથી. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ થતો નથી પરંતુ તેનું કોઈકને કોઈક સ્વરૂપે રૂપાંતર થાય છે. જેમ કે બરફનું પાણીમાં, પાણીનું વરાળમાં અને વરાળનું પાણીમાં રૂપાંતર આવો ક્રમ ચાલ્યા કરતો હોય છે. Nothing can never become something and something can never become nothing. You can only change it. ઉષ્ણાગતિશાસ્ત્ર (થર્મોડાયનેમિક્સ) નો પ્રથમ નિયમ એ છે કે The law of conservation of mass-energy states that mass -energy can never be created nor destroyed. Only energy is converted into a different form. Electrical mass energy is changed to light and heat mass-energy in the bulb.
Chemical mass-energy in batteries is changed to electrical mass-energy in a flashlight C - આવા શબ્દોમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન જણાવે છે કે વૈશ્વિક ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય છે. ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
(1) ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણમાં શ્રીચન્દ્રસેનસૂરિએ “સર્વથા અસતું હોય તેનું અસ્તિત્વ ન સંભવે તથા સત્ હોય તેનો સર્વથા નાશ ન થાય' આ પ્રમાણે જણાવેલ છે. જલ્પકલ્પલતામાં શ્રીરત્નનન્દિજીએ પણ આ જ વાત જણાવેલ છે. તે પણ અહીં ભૂલવી નહીં.
શંકા :- (ના) સર્વ કર્મના ક્ષયથી આત્મામાં જે સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે. તે તો પૂર્વે અવિદ્યમાન જ હોય છે ને ! તેથી “અસની ઉત્પત્તિ ન થાય' - એવો નિયમ ક્યાં રહ્યો ?
! સંસારી જીવમાં પણ સિદ્ધત્વ છે 0 સમાધાન :- (ર.) ના. તમારી શંકા વ્યાજબી નથી. કેમ કે સિદ્ધત્વ પણ પૂર્વકાળે આત્મામાં કથંચિતુ. વિદ્યમાન જ હોય છે. ફક્ત તિરોભૂત એવું તે સિદ્ધત્વ સર્વકર્મક્ષયથી આત્મામાં પ્રગટ થાય છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં મલધારી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સિદ્ધત્વ આત્માનો સ્વાભાવિક ગુણધર્મ છે. તે સંસારી અવસ્થામાં આત્મામાં વિદ્યમાન હોવા છતાં અનાદિકાલીન કર્મથી આવરાયેલ છે. તેથી જ્યારે કર્મસ્વરૂપ આવરણનો ક્ષય થાય છે ત્યારે તે આત્મામાં પ્રગટ થાય જ છે. પરંતુ “સંસારીદશામાં અવિદ્યમાન એવું સિદ્ધત્વ મોક્ષમાં ઉત્પન્ન થાય છે' - તેવું નથી. આ વાત માન્ય કરવી પડે તેમ જ છે. કેમ કે સર્વથા અસતુ વસ્તુનો તો ગધેડાના શીંગડાની જેમ ક્યારેય જન્મ થઈ શકતો