Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 362
________________ १७८ अवान्तरविशेषद्वारा मूलनयविभजनम् अप्रामाणिकम् २ २/११ 2 “જિમ ક્રમભાવીપણું પર્યાયનું લક્ષણ છઈ તિમ અનેક કરવું તે પણિ પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય - इत्युक्तौ विशिष्य वस्तुपरिणामो ज्ञायते । मूलनयमीमांसायां तु वस्तु-तत्परिणामयोः सामान्यरूपेण ' बोधः स्यात् तथा शब्दः प्रयोक्तव्यः न तु विशेषरूपेणेति मूलनयविभागप्रदर्शनावसरे द्रव्यार्थिक रा -गुणार्थिकनयप्रतिपादने तु वस्तुपरिणामस्य सामान्यरूपेण बोधः न स्यात् किन्तु विशेषरूपेण । अतो म वस्तुपरिणामस्य सामान्यरूपेण = व्यापकरूपेण प्रतिपादनकृते गुणार्थिकनयं विहाय पर्यायार्थिकनयेन . भगवता वस्तुपरिणामदेशना व्याकृता। न च विशेषरूपेण तद्बोधनाय गुणार्थिकनयदेशनावश्यकता, मूलनयविभागप्रदर्शनावसरे विशेषक रूपेण अवान्तरविशेषरूपेण वा वस्तुपरिणामप्रतिपादनस्याऽसाम्प्रतत्वात् । तथाजिज्ञासायां तु नैगमादिणि सप्तनयविभागालम्बनस्यैवोचितत्वात्, तत एव तथाजिज्ञासोपरमात् । इत्थं गुणार्थिकनयदेशनाया अनावश्यकतेति फलितम् । लीम्बडीभाण्डागारसत्के हस्तादर्शान्तरे तु “यथा परिगमनं = क्रमभावित्वं पर्यायलक्षणं तथा अनेककरणमपि ધર્મસ્વરૂપે (વ્યાપકધર્મરૂપે) બોધ થવાના બદલે વિશેષ સ્વરૂપે (વ્યાખ્યરૂપે = સંકુચિતરૂપે) વસ્તુગત પરિણામનો બોધ થાય. પરંતુ મૂળ નયની વિચારણા જ્યારે થતી હોય ત્યારે વસ્તુનો અને વસ્તુના પરિણામનો સામાન્યસ્વરૂપે બોધ કરાવનાર શબ્દનો પ્રયોગ થવો જોઈએ, નહિ કે વસ્તુપરિણામગત અવાન્તરવિશેષરૂપે વસ્તુપરિણામનો બોધ કરાવનાર શબ્દનો પ્રયોગ. જો મૂળનયવિભાગ પ્રદર્શનના અવસરે દ્રવ્યાર્થિકનય અને ગુણાર્થિકનય - એમ બે મૂળ નય બતાવવામાં આવે તો વસ્તુપરિણામનો » ગુણાર્થિકનય દ્વારા સામાન્યસ્વરૂપે બોધ થવાના બદલે વિશેષ સ્વરૂપે બોધ થવાની સમસ્યા આવે. તેથી છે વસ્તુગત પરિણામનો શ્રોતાને સામાન્યસ્વરૂપે = વ્યાપકસ્વરૂપે બોધ કરાવવા માટે ગુણાર્થિકનયના બદલે વા પર્યાયાર્થિકનયથી ભગવાને વસ્તુના પરિણામનું નિરૂપણ કરેલું છે. ( ૪) “વસ્તુપરિણામનો વિશેષ સ્વરૂપે બોધ કરાવવા માટે તો ગુણાર્થિકનયનો પ્રયોગ થવો જોઈએ સ ને ?” – આવી શંકા અહીં અસ્થાને છે. કેમ કે મૂળનયના વિભાગમાં વિશેષ સ્વરૂપે કે અવાત્તરવિશેષસ્વરૂપે વસ્તુપરિણામની જાણકારી આપવાનું શાસ્ત્રકારોને ઈષ્ટ હોતું નથી. વસ્તુપરિણામની વિશેષ સ્વરૂપે કે અવાન્તરવિશેષસ્વરૂપે જિજ્ઞાસા જ્યારે ઉદ્ભવે ત્યારે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક – એમ દ્વિવિધ નયવિભાગના બદલે નૈગમ, સંગ્રહ આદિ સવિધ ન વિભાગનું જ આલંબન લેવું જરૂરી છે. કારણ કે તેના દ્વારા તથાવિધ જિજ્ઞાસાનું શમન થઈ શકે છે. માટે વસ્તુનો કે વસ્તુપરિણામનો સામાન્યરૂપે બોધ કરાવવા માટે દ્રવ્યાર્થિકનયનું અને પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન ઉચિત છે. તથા તે બન્નેનો વિશેષરૂપે બોધ કરાવવા માટે નૈગમ, સંગ્રહ આદિ સાત નયોનું નિરૂપણ વ્યાજબી છે. પરંતુ ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાની કોઈ પણ આવશ્યકતા પ્રસ્તુતમાં જણાતી નથી - તેવું ફલિત થાય છે. 88 સમતિ ગાથાની ત્રીજી વ્યાખ્યા છે. (નીવુ.) મહોપાધ્યાયજીરચિત દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબાની લીંબડી ભંડારમાં અન્ય હસ્તપ્રત લી(૧)માં “ક્રમપણું ભાવીપણું” પાઠ.

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432