Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 349
________________ • गुण-पर्यायप्रतिक्षेपः । तत् तथा” (पञ्चदशी-१३/६८) इत्यादिन्यायाद् द्रव्यव्यतिरेकेण तेषामनुपलम्भाच्च असन्त एव” (अने.व्य.नैगमनय- प पृ.६१) इति व्यक्तमुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणे यशोविजयवाचकवरेण्यैः । प्रकृते शुद्धसङ्ग्रहनयात्मकशुद्धद्रव्यार्थिकनय-शुद्धनिश्चयनययोः अभिप्रायैक्यम्। तथा च न । द्रव्य-गुण-पर्यायरासस्तबकाऽनेकान्तव्यवस्थाप्रकरणयोः विरोध इति विज्ञेयम् । ___ द्रव्यास्तिकनयमतप्रदर्शनरूपेण श्रीशान्तिसूरिभिः उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ “यद् आद्यन्तयोः असद् मध्येऽपि ॥ तत् तथैव, यथा मरीचिकादौ जलादि। न सन्ति च कुशूल-कपालाद्यवस्थयोः घटादिपर्यायाः। ततो द्रव्यमेव । आदि-मध्याऽन्तेषु सत् । पर्यायाः पुनः असत्यैः आकाशकेशादिभिः सदृशा अपि भ्रान्तैः सत्यतया लक्ष्यन्ते । क ન હોય' - આ પ્રમાણેના ન્યાય (=સમીકરણ) મુજબ વિચાર કરવામાં આવે તો ગુણ, પર્યાય પૂર્વ તથા પશ્ચાત્ કાળમાં અવિદ્યમાન હોવાથી ઉપચાર માત્ર સ્વરૂપ છે. અર્થાત્ પરમાર્થથી ગુણ અને પર્યાય અસત્ છે. વળી, ગુણ-પર્યાય પરમાર્થથી અસત્ હોવાનું બીજું કારણ એ છે કે દ્રવ્ય વિના સ્વતંત્રપણે ગુણ-પર્યાયો જોવા મળતા નથી. અર્થાત્ દ્રવ્યથી સ્વતંત્રપણે ગુણ-પર્યાયનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ શક્ય ન હોવાથી દ્રવ્ય જ પરમાર્થ સત્ છે, ગુણ-પર્યાય નહિ” - આ પ્રમાણે અનેકાંતવ્યવસ્થાપ્રકરણ ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે. જ સ્વતંત્ર પર્યાય મિથ્યા : નિશ્ચયનય સ્પષ્ટતા :- નિશ્ચયમતે જોવા મળે છે તે દ્રવ્ય જ છે; ગુણ કે પર્યાય નહિ. દ્રવ્યના આધારે ગુણ તથા પર્યાય રહે છે; નહીં કે ગુણના તથા પર્યાયના આધારે દ્રવ્ય. દરિયાના આધારે મોજાઓ રહે છે; સુ નહિ કે મોજાંઓના આધારે દરિયો. દરિયા વિના મોજાનું અસ્તિત્વ જોખમાય છે; મોજા વિના દરિયાનું અસ્તિત્વ જોખમાતું નથી. તેમ દ્રવ્ય વિના ગુણ-પર્યાયનું અસ્તિત્વ જોખમાય છે; ગુણ-પર્યાય વિના દ્રવ્યનું ધી અસ્તિત્વ જોખમાતું નથી. માટે દ્રવ્ય જ સત્ છે. ગુણ-પર્યાય દ્રવ્યથી સ્વતંત્રપણે અસત્ છે. ! શુદ્ધનિશ્ચય અને શુદ્ધદ્રવ્યાર્થિકનો સમાન અભિપ્રાય ! (પ્રશ્નો.) “ગાવી અન્ને જ આ કારિકા વિશે શુદ્ધસંગ્રહનયાત્મક શુદ્ધદ્રવ્યાર્થિકનયનો અને શુદ્ધનિશ્ચયનયનો અભિપ્રાય સમાન જ છે - તેમ જાણવું. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ ટબામાં શુદ્ધનિશ્ચયનયનો ઉલ્લેખ તથા અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમાં શુદ્ધદ્રવ્યાસ્તિકનયનો ઉલ્લેખ જોઈને વ્યામોહ ન પામવો. છે કાદાચિક હોય તે અસત્ ઃ શ્રી શાંતિસૂરિજી છે (દ્રવ્યસ્ત.) ઉત્તરાધ્યયનસૂત્ર બૃહદ્રવૃત્તિમાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે દ્રવ્યાસ્તિકનયનો મત દેખાડવા રૂપે જણાવેલ છે કે “જે વસ્તુ પૂર્વ-પશ્ચિાત્ કાળમાં અસતુ હોય તે વસ્તુ વચલા સમયગાળામાં પણ અસત્ જ હોય. જેમ કે ઝાંઝવાના જળ. તેમાં જે જળદર્શન થાય છે તે પ્રતિભાસિક છે, વાસ્તવિક નથી. કારણ કે ત્યાં આગળ-પાછળના સમયમાં પાણી હોતું નથી. તે જ રીતે કુશૂલ વગેરે પૂર્વ અવસ્થામાં તથા કપાલ વગેરે પાછલી અવસ્થામાં ઘટાદિ પર્યાયો અસતું હોય છે. તેથી ઘટાદિ અવસ્થામાં (વચલા સમયે) પણ ઘટાદિ પર્યાયો અસત્ જ છે. માટી દ્રવ્ય જ ત્રિકાલ અનુગત હોવાથી સત્ છે. આ દષ્ટાંત અનુસારે વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે આદિ, મધ્યમ અને અંત સમયે વિદ્યમાન હોવાથી દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે. પર્યાયો તો ગગનકેશ-ગગનકુસુમ-શશશૃંગ વગેરે મિથ્યા પદાર્થો જેવા છે. મિથ્યા હોવા

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432