Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 312
________________ १२८ ० द्रव्यदृष्टिः प्राप्तव्या 0 २/३ लीनतया आत्मार्थिना भाव्यम्। तत्र च पर्यायदृष्टिः बाधिका। विशेषोपयोगः पर्यायदर्शनद्वारा ५ रागादिकं जनयति। अत आत्मार्थिना विशेषोपयोगोपसर्जनेन सामान्योपयोगार्पणापरतया भाव्यम् । रा विशेषोपयोगस्य अनिवार्यत्वे तु रागाद्यपायपरिहारकृते तत्प्राधान्यं नैव कार्यम्, शत्रु-मित्रादिपर्यायाभनुपेक्ष्य ज्ञान-दर्शनादिगुणानां तद्गोचरता आपादनीया। । यथा रागदशातो वीतरागदशाऽऽरोहणाऽसम्भवे वैराग्यदशा आश्रीयते तथा पर्यायदृष्टितः 'द्रव्यदृष्टिसमारोहणाऽयोगे गुणदृष्टिः आत्मार्थिना आश्रीयते । इत्थञ्च सङ्क्लेशादिजनकपर्यायदृष्टिं के परिहृत्य गुणदृष्टिसमालम्बनेन द्रव्यदृष्टिप्राप्तौ आत्मार्थिना सर्वत्र सर्वदा अवश्यं यतितव्यम् । तत णि एव स्वरूपदर्शनोपलब्ध्या आत्मार्थी कृतार्थो भवति । अत्रार्थे “स्वरूपदर्शनं श्लाघ्यं पररूपेक्षणं वृथा। .. एतावदेव विज्ञानं परञ्ज्योतिःप्रकाशकम् ।।” (प.प.२०) इति परमज्योति:-पञ्चविंशतिकायां यशोविजयवाचकेन्द्रवचनं चेतसि निधेयम् । तबलेन च “पुनर्जन्मादिरहितां सिद्धिगतिं” (द.वै.१०/२१ वृ.) दशवैकालिकसूत्रहारिभद्रीવૃત્તિવતામ્ ત્મિાર્થી રદ્ ત્તમત્તાર/રૂ . પરિણાવવા સામાન્ય ઉપયોગને કેન્દ્રસ્થાને ગોઠવી આત્મદ્રવ્યને જોવામાં લીન બની જવું તે પ્રત્યેક સાધકનું અંગત કર્તવ્ય છે. દ્રવ્યદૃષ્ટિને કેળવવામાં પર્યાયદષ્ટિ બાધક બને છે. વિશેષ ઉપયોગ પર્યાયના દર્શન કરાવવા દ્વારા રાગ-દ્વેષાદિના વિકલ્પો ઊભા કરે છે. માટે અધ્યાત્મનિષ્ઠ સાધકે ડગલે ને પગલે વિશેષ ઉપયોગનો આધાર લેવાના બદલે સામાન્ય ઉપયોગનો આશ્રય લેવા માટે કટિબદ્ધ બનવું. વિશેષ ઉપયોગ અનિવાર્યપણે આવી જ જતો હોય તો તેના નુકસાનથી બચવાના બે ઉપાય છે. (૧) વિશેષ { ઉપયોગ ઉપર બહુ મદાર ન બાંધવો. વિશેષ ઉપયોગ ઉપર મુસ્તાક ન બનવું. (૨) વિશેષ ઉપયોગનો વિષય મનુષ્ય-બાલ-શત્રુ-મિત્રાદિ પર્યાયને બનાવવાના બદલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોને તેનો Cી વિષય બનાવવાની ભાવના રાખવી. તે મુજબ પ્રયત્ન કરવો. 0 ગુણદૃષ્ટિનો આશ્રય સપ્રયોજન , (યથા.) જેમ રાગદશામાંથી સીધે સીધા વીતરાગદશામાં પહોંચી શકાતું ન હોય ત્યારે વૈરાગ્યદશાનો આશ્રય લેવામાં આવે છે તેમ પર્યાયદષ્ટિમાંથી સીધે સીધા દ્રવ્યદૃષ્ટિમાં પહોંચી શકાતું ન હોય ત્યારે ગુણદષ્ટિનો આશ્રય લેવો ઉચિત છે. આ લક્ષ રાખી આઘાત-પ્રત્યાઘાતને ઊભી કરનારી પર્યાયદૃષ્ટિને તિલાંજલિ આપી ગુણદષ્ટિના માધ્યમે દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવા આત્માર્થી સાધકે સતત સર્વત્ર પ્રયત્નશીલ રહેવું અત્યંત જરૂરી છે. તેનાથી જ સ્વરૂપદર્શનની ઉપલબ્ધિ થવાથી આત્માર્થી સાધક કૃતાર્થ થાય છે. આ બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં જે વાત જણાવેલ છે, તે અતઃકરણમાં દઢ કરવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “આત્મસ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરરૂપદર્શન ફોગટ છે. આટલું જ વિજ્ઞાન પરમજ્યોતિનું પ્રકાશક છે.” તેના બળથી સિદ્ધિગતિને આત્માર્થી ઝડપથી મેળવે છે. દશવૈકાલિકસૂત્રવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પુનર્જન્માદિથી શૂન્ય સ્વરૂપે સિદ્ધિગતિ વર્ણવેલી છે. (૨૩)

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432