________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-સૂર્યમંડલનું સ્વરૂપ કેટીના સ્થાને આવે છે. એમ દરેક મંડલમાં જતાં અને આવતાં પ્રત્યેક મંડલ સ્થાનમાં બને સૂર્યો પ્રથમ સ્થાને એકી સાથે પ્રવેશે છે અને સાથે જ સંક્રમણ કરે છે. આ મંડલમાં સૂર્ય આવવાથી સર્વ બાહ્યમંડલમાં પ્રાપ્ત થતાં ૧૨ મુહૂર્ત દિનમાનમાં ઉત્તરાયન હોવાથી દરેક મંડલે ૨૬૧ મુહૂર્ત દિનમાનમાં વૃદ્ધિ અને ૧૮ મુહૂર્ત પ્રમાણ રાત્રિમાનમાં ૨/૬૧ મુહૂર્ત પ્રમાણ હાની થાય છે.
સર્વ બાહ્યમંડલથી આગળના મંડલમાં પ્રથમ ક્ષણે આવેલા તે સૂર્યો પિતપોતાની દિશાના અર્ધ–અર્ધ મંડલોને કોઈ એવી વિશિષ્ટ ગતિ વડે પૂર્ણ કરતા, પૂર્વની જેમ પણ વિપરીત ક્રમે ઉત્તરાર્ધ મંડલે રહેલે સૂર્ય દક્ષિણા મંડલમાં પ્રથમ ક્ષણે પ્રવેશી અને દક્ષિણાધ મંડલમાં રહેલો સૂર્ય ઉત્તરાર્ધ મંડલમાં પ્રથમ ક્ષણે પ્રવેશ દરેક અહેરાત્રિના અંતે ૨ યોજનપ્રમાણ ક્ષેત્ર વટાવત થ અને ૨/૬૧ મુહૂર્ત પ્રમાણ દિનમાનમાં વૃદ્ધિ તથા ૨૬૧ મુહૂર્ત પ્રમાણ રાત્રિમાનમાં હાનિમાં નિમિત્તરૂપ થતો અનુક્રમે પ્રત્યેક સૂર્યો આગળ-આગળના ભંડલમાં આવતા તે તે મંડલમાં સૂર્યો પ્રથમ ક્ષણે એકી સાથે સામ-સામા પ્રવેશ કરતા અને તે મંડલમાં ફરીને સંક્રમણ કરતાં તે સૂર્યો સર્વ અત્યંતર મંડલે ઉત્તર-દક્ષિણ દિશામાં આવે.
હવે ઉત્તરાધ મંડલમાં રહેલો સૂર્ય તે ઉત્તર દિશાગત મંડલને વિશિષ્ટ ગતિ વડે સંક્રમણ કરીને મેરુ પર્વતથી દક્ષિણ-પૂર્વમાં આવેલા સર્વ અત્યંતર મંડલે દક્ષિણાઈ મંડલમાં પ્રથમ ક્ષણે આવે છે. તે વખતે આ સૂર્ય નિષધ પર્વતના સ્થાનથી આરંભાતા સર્વ અત્યંતર મંડલના પ્રથમ ક્ષણે (નીલવંત પર્વત ઉપર આવે છે એ વખતે બન્ને સૂર્યોએ પ્રથમ ક્ષણે જે ક્ષેત્ર પર્યું તેની અપેક્ષાએ) તે “સર્વ અત્યંતર મંડલ” એમ કહેવાય છે. આ પ્રમાણે છ મહિનાનું દક્ષિણાયન અને છ મહિનાનું ઉત્તરાયન પૂર્વક એક સંવત્સર પૂર્ણ થાય છે.
સર્વ અત્યંતર મંડલમાં સૂર્યો આવે ત્યારે એક સૂર્ય દક્ષિણમાં અને એક સૂર્ય ઉત્તરમાં હેય છે. તે વખતે દિનમાન ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત અને રાત્રિમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org