Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૦૨]... ૧૪. આહારકમિશશરીરકાયપ્રયોગ. ૧૫. કર્મશરીરકાયપ્રયોગ.
આચાર્ય મલયગિરિએ સત્ય-મૃષામન:પ્રયોગ અને એ જ પ્રકારના વચનપ્રયોગને વ્યાવહારિકનયની અપેક્ષાએ મિશ્ર, પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો અસત્ય જ જણાવ્યો છે. અસત્ય-મૃષામન પ્રયોગ અને વચનપ્રયોગ સ્વરૂપમાત્રનું પર્યાલોચન અને વચન છે. આના પરક વાક્યોનો પ્રયોગ, જેમાં સત્ય-અસત્યને કોઈ સંબંધ નથી તે પણ અસત્ય-મૃષાવચનપ્રયોગ છે. નિશ્ચયનયે તો વિપ્રતારણબુદ્ધિથી આવો પ્રયોગ હોય તો તે અસત્ય જ ગણાય. કાયપ્રયોગમાં તૈજસકાયપ્રયોગનો ઉલ્લેખ નથી તે ધ્યાન દેવા જેવી વાત છે.
પ્રયોગ પદમાં પંદર પ્રકારના પ્રયોગોની ચર્ચા સમાપ્ત ર્યા પછી “ગતિપૂવાય’—ગતિપ્રપાત– નું નિરૂપણ છે (૧૦૮૬-૧૧૨૩); આ પ્રાસંગિક સંગ્રહની દૃષ્ટિએ જણાય છે. આમાં જ્યાં ગતિ”નો સંબંધ છે તે બધા વ્યવહારનો સંગ્રહ કરી તેના પાંચ પ્રકાર જણાવ્યા છે, તે આ છે–
૧. પ્રયોગગતિ, ૨. તતગતિ, ૩. બંધનદનગતિ, ૪. ઉપપાતગતિ. ૫. વિહાયોગતિ (૧૦૮૫). આમાંની પ્રયોગગતિની ૨૪ દંડકના જીવોમાં યોજના કરી છે. બાકીની વિષે તેમ કર્યું નથી.
આમાં પ્રથમ પ્રયોગગતિ તો તે જ છે, જેના પંદર પ્રકારની ચર્ચા પૂર્વે (૧૦૬૮-) થઈ જ ગઈ છે. એનું અહીં પુનરાવર્તન જ છે (૧૦૮૬-૧૦૦૯).
તતગતિ વિષે જણાવ્યું છે કે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચ્યા પહેલાંની બધી ગતિને તતગતિ કહે છે, તે એટલા માટે કે તે વિસ્તીર્ણ છે (૧૯૯૦).
છવ અને શરીર વચ્ચેનું બંધન છૂટી જવાથી જે ગતિ તે બંધન છેદનગતિ છે (૧૯૯૧).
ભવોપ પાતગતિના ચાર પ્રકાર છે, દેવ, નારક, મનુષ્ય, તિર્યંચ; એ ચાર ભવમાં જે ગતિ એટલે કે જીવનો તે રૂપે કર્મજન્ય પર્યાય તે ભવોપપાતગતિ છે. પૂર્વનિર્દિષ્ટ ક્ષેત્રનો પાંચમો ભેદ સિદ્ધગતિ આમાં નથી, કારણ કે અહીં કર્મજન્ય ગતિ વિક્ષિત છે, જે સિદ્ધમાં નથી.
ઉ૫પાતગતિના ત્રણ ભેદ છે: ક્ષેત્રોપ પાત, ભવોપપાત અને નભવોપપાત ગતિ. જો તે તે ક્ષેત્રમાં ગતિ કરે તે ક્ષેત્રો પપાતગતિ. જીવોનો તે તે કર્મને આધારે નારકાદિ ગતિરૂપ ભવ થાય તે ભવોપપાતગતિ છે (૧૦૯૨-૯૯). | નભવીપ પાતગતિના બે ભેદ છે: પુગલોની અને સિદ્ધોની ગતિ. આ બન્નેની ગતિ કર્મજન્ય નથી તેથી તે ગતિને નભવોપ પાતગતિ કહી છે (૧૧૦૦).
કોઈ પણ દિશાના એક છેડેથી બીજા છેડે માત્ર એક સમયમાં પુગલની જે ગતિ થાય છે તેને પુલની નોભવોપ પાતગતિની સંજ્ઞા આપી છે (૧૧૦૧), પરંતુ સિદ્ધ વિષે પ્રસ્તુતમાં સિદ્ધના
કુ. આચાર્ય મલયગઉ મતે તૈજસ-કાશ્મણશરીરમયોગ' એવું નામ અહીં અભિપ્રેત છે. પરંતુ ખેડાગમમાં
પણ પાઠ છે.—“મર્થનાથનોનો’.-પુ. ૧, પૃ. ૨૮૯. આચાર્ય મલયગિરિને શંકા થઈ હશે કે કાયપ્રયોગમાં તૈજસનું કયાંય નામ આવતું નથી, તેથી કાર્મણ સાથે તેજસ જેડીને તેની વ્યાખ્યા કરી. પ્રજ્ઞા
ટીકા, પત્ર ૩૧૯, આવી કોઈ શંકા ધવલામાં જોવામાં આવી નહિ. ૪. “મનું મતિઃ પ્રષિરત્યર્થ: ! કાશ્રિ ફેરાતવિયા gયાન્તરવયા ચ... ... | તેઃ કતો
ગતિપાત ...... | તિરાઇવૃત્તિપનપતીત્યર્થઃ '—કa૦ ટીવ, પત્ર રૂ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org