Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૬]...
એ હકીકત તેમની અધૂરી રહેલી રચનાઓ દ્વારા સ્પષ્ટ જ છે. આવા અંતકાળ સુધી અવિરત અને અપ્રમત્ત રહીને જૈન આગમ આદિ સાહિત્યના વાચકો, ચિંતકો અને શ્રોતાજનો ઉપર અસાધારણ ઉપકાર કરનાર આ મહાપુરુષના ચરણારવિંદમાં આગમ આદિ વિષયના અભ્યાસીઓનું તો શું સમગ્ર વિશ્વના વિદ્યાપ્રેમી કોઈ પણ વિદ્વાનનું મસ્તક નમી જાય તે તદ્દન સ્વાભાવિક છે. “શ્રુતજ્ઞાનની ભક્તિ માટે મેં શક્ય શ્રમ કર્યો છે અને તેમાં જે કાંઈ ઊણપ રહી હોય કે અનવધાન થયું હોય તેનું પરિમાર્જન સુયોગ્ય શ્રુતોપાસક વાચક કરશે જ. '' આવી અપેક્ષાથી પ્રેરાઈ તે ખુદ આચાર્ય શ્રી મલયગિરિજીએ, પોતે રચેલા ગ્રંથોને ફરીથી સાદ્યંત જોવા કરતાં, અન્યાન્ય જટિલ સૂત્રગ્રંથોની વ્યાખ્યાઓ રચવામાં પોતાની સર્વે શક્તિ અને સમય ખપાવ્યાં હોય, એવું અનુમાન કરીએ તો તે અનુચિત નહીં કહેવાય. અને જો આ અનુમાન સાચું હોય તો કોઈ પણ અભ્યાસીને આ પૂજ્યશ્રીના વ્યાખ્યાભ્રંથોમાં જવલ્લે જ કોઈક સ્થાને અનવધાન જેવું લાગે તો તેનું સંશોધન કરવામાં તો કશું જ અજુગતું નથી; પણ આવી એકાદ સામાન્ય ક્ષતિ જોઈ ને, પોતાના અલ્પ જ્ઞાનના આવેશમાં, જો અનેક મહાકાય ગ્રંથોની દેણગી આપનાર આવા ઉપકારી વ્યાખ્યાકારો પ્રત્યે અવિવેક બતાવવામાં આવે તો તેને કોઈ પણ વિઘ્ન વિચારક બાલિશતા જ કહેશે. અસ્તુ.
પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્રનું સંપાદન કરતાં અમે એ સ્થળોમાં ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીની વ્યાખ્યાથી વિરુદ્ધ સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલા સૂત્રપાઠ પ્રમાણે મૂળ વાચનાનો પાઠ સ્વીકાર્યો છે. આ બે સ્થળ પૈકીના ૧૪૨૦ [૪] ક્રમાંકવાળા સૂત્રના સંબંધમાં અદ્યાવધિ પ્રકાશિત થયેલી પ્રજ્ઞાપનાસૂત્રની આવૃત્તિઓમાં ટીકાકારની વ્યાખ્યાથી ભિન્ન સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલો પાઠ જ મૂળ વાચનામાં લેવાયો છે. પ્રસ્તુત છે સ્થાન આ પ્રમાણે છે ઃ
૧. સૂત્રાંક ૯૯૯ [૧] માં (પૃ૦ ૨૪૬) નોયમા! નો મદ્દાય નેતિ આ સૂત્રપાઠે સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ટબાકારોર પણ આ સૂત્રપાઠ પ્રમાણે જ અર્થ કરે છે (જુઓ પૃ૦ ૨૪૬, ટિ ૨). અહીં આચાર્ય શ્રી મલયગિરિજી પોયમા! મદ્દાર્થ પેતિ આવા સૂત્રપાઠ પ્રમાણે વ્યાખ્યા કરે છે. બધીય સૂત્રપ્રતિઓ ઉપરનો પાર્ટ આપે છે તેથી અને તે જ પાઠ અમને સુસંગત લાગવાથી ટીકાકારની વ્યાખ્યાથી વિરુદ્ધ જઈ ને પણ અમે ગોયમા ! નો પ્રદ્દાય પેત્તિ પાને મૌલિક પાર્ટરૂપે સ્વીકાર્યો છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ પૃ૦ ૨૪૬, ટિ॰ ૨. રાય શ્રી ધનપતિબાપુની તથા શ્રી અમોલકઋષિજીની આવૃત્તિમાં અહીં અમે સ્વીકાર્યો છે તેવો જ પાડે છે. તેથી આ એ પ્રકાશનોમાં આધારરૂપે લેવાયેલી પ્રજ્ઞાપનાસૂત્રની હસ્તલિખિત પ્રતિઓમાં પણ અમને મળેલી પ્રતિઓના જેવો જ પાડ઼ હોવો જોઈ એ તે સ્પષ્ટ થાય છે; જ્યારે આગમોદય સમિતિની આવૃત્તિમાં અહીં ટીકાકારની વ્યાખ્યા પ્રમાણે નો પદ સિવાયનો સૂત્રપાઠ છે. પં. શ્રી ભગવાનદાસજની, શિલાગમની અને મુત્તામે ની આવૃત્તિમાં આ સ્થાનમાં સમિતિના પાવું જ અનુકરણ થયું છે.
૨. સૂત્રાંક ૧૪૨૦ [૪] નો પાઠે સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં અને અદ્યાવધિ પ્રકાશિત થયેલી આવૃત્તિઓમાં આ પ્રમાણે છે—
जे भंते! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा पत्तिएजा रोएजा १ गोयमा ! सद्दहेजा વૃત્તિના રોજ્જ્ઞા। (પૃ૦ ૩૨૧)
આ સૂત્રની ટીકા આ પ્રમાણે છે—‹ પુનરપિ ક્ષયતિ–યો મવન્ત ! વજિત વોધિમર્થતોડवगच्छति सोऽर्थतस्तां 'श्रद्दधीत' श्रद्धाविषयां कुर्यात् तथा 'प्रत्ययेत्' प्रतीतिविषयां कुर्यात्, 'रोचयेत् નિિિમત્યેવમધ્યવયેત્ ? માવાના અસ્થેાપ ચાવિક (ટીકા, પત્ર ૩૯૯, પૃષ્ઠિ ૨).
૨. પં. શ્રી જીવવિજયજી તથા પં. શ્રી ધનવિમલજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org