Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૮૧]... પણ લાગી હોય. અહીં તો અમે એટલો જ આગ્રહ રાખીએ કે મૂળ સૂત્રની બધીય પ્રતિઓ પાઠ આપતી હોય તેને દૂર કરવો તે બરાબર નથી.
૨૯. ૧૩૬૨ મા સૂત્રમાં આવેલો આ વજે (પૃ. ૩૧૪) આ સૂત્રપાઠ અમને સમગ્ર સૂત્રપ્રતિઓએ આપ્યો છે. છે અને મ આવૃત્તિમાં પણ અહીં આવો જ પાઠ છે. ર આવૃત્તિમાં અને તદનુસારે મ, શિ તથા આવૃત્તિમાં આ સ્થાને તાનારીવોનોવત્તે પાઠ છે. આ પાઠ કોઈ પણ સૂત્રપ્રતિ આપતી નથી. અમને લાગે છે કે કદાચ મુદ્રિત ટીકામાં છપાયેલા દાવોનોવારે
મંતે ! (ટીકા, પત્ર ૩૯૨, પૃષ્ટિ ૧) આ અવતરણ ઉપરથી જ આવૃત્તિમાં આ પાઠ સ્વયં સુધારીને સ્વીકારાયો હોય. જેસલમેરના ભંડારની ટીકાની તાડપત્રીય પ્રતિમાં આ સ્થાને સરોવરને 7 મંતે ! આવું સૂત્રપ્રતિઓના પાઠને સંવાદિ અવતરણ છે, આથી અહીં ન આવૃત્તિનો પાઠ આદરણીય નથી. પ્રસ્તુત સૂત્રના પછીના ૧૩૬૩ મા સૂત્રમાં માવજે પાઠ છે. આ પાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે અને સમિતિની આવૃત્તિ સહિત સમગ્ર પ્રકાશિત આવૃત્તિઓમાં પણ આવો જન્મ TIરોવરને પાઠ છે. આથી પણ અમે અહીં જણાવેલા સરોવરત્તે પાઠની મૌલિકતા સ્પષ્ટ થાય છે.
૩૦. સૂત્રાંક ૧૫૯૭[૨] થી ૧૫૯૯ [૧] સુધીનું સૂત્રપાઠ (અર્થાત ૩૫૪ મા પૃઇની ત્રીજીથી નવમી પંક્તિ સુધીનો સૂત્રપાઠ) અમે ઉપયોગમાં લીધેલી આઠ પૈકીની માત્ર ત્રણ જ સૂત્રપ્રતિઓએ આપ્યો છે. પ્રસ્તુત પાઠ તે તે લેખકોની ચૂકથી તેમની હસ્તલિખિત પ્રતિઓમાં પડી ગયો છે. ઘ તથા ૩ આવૃત્તિમાં અને તદનુસારે , શિ અને તુ આવૃત્તિમાં પણ આ સૂત્રપાઠ પડી ગયો છે; જ્યારે મ આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપાઠ છે. આથી એ સ્પષ્ટ જ છે કે આપણે અન્યાન્ય પ્રત્યંતરો જોવાનો કંટાળો લાવીએ તો આવાં સ્થાનોમાં મૂળ વાચના ખંડિત રહેવાનો સંભવ રહે જ.
૩૧. ૨૦૫ર [૬] ક્રમાંકવાળા સૂત્રમાં આવેલો વહારેમાળીમો (પૃ. ૪ર૩, પં. ૪) આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ઘ તથા ગ આવૃત્તિમાં પણ અહીં આવો જ પાઠ છે; જ્યારે ૩ આવૃત્તિમાં અને તદનુસાર મ, શિ તથા આવૃત્તિમાં પ્રસ્તુત પાઠના સ્થાનમાં સંપામાળો પાઠ છે.
૩૨. ૨૧૭૦ મા સૂત્રની પહેલી અને બીજી કંડિકામાં અનુક્રમે આવેલો સોહબ્બત (પૃ. ૪૪૩, ૫૦ ૨૫) અને સોટ્ટાતિ (પૃ. ૪૪૩, ૫. ૨૬) આ સુત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ટીકામાં પણ “મા ” તિ સમવતિ (ટીકા, પત્ર ૬૦૨ મ) આ પ્રમાણે મૂળ પાઠનું પ્રતીક છે. આમ છતાં ધ આવૃત્તિમાં અને આવૃત્તિમાં તેમ જ તેને અનુસરતી મ, શિ અને સુ આવૃત્તિમાં પ્રસ્તુત બે શબ્દોના સ્થાનમાં અનુક્રમે મોરૂ અને સમગંતિ શબ્દો છે. આવો પાઠ કોઈ પણ સૂત્રપ્રતિમાં નથી તેથી તેને સંગત કહી શકાય નહીં.
૩૩. ૪ આવૃત્તિમાં નીચેનાં પાંચ સ્થાનોમાં વર્ણસામ્યના લીધે સૂત્રપાઠ પડી ગયો છે અને તે પછીની મ, શિ તથા આવૃત્તિમાં પણ તે તે સ્થાનમાં ૩ આવૃત્તિની જેમ સૂત્રપાઠ પડી ગયો છે. ફક્ત શિ આવૃત્તિમાં આ પાંચ સ્થાન પૈકીના એક સ્થાનમાં પાપતન નથી થયું. આ સ્થાનો નીચે પ્રમાણે છે.
(૧) ૧૩૮ સૂત્રમાં આવેલો છે મારિયા (પૃ. ૪૪, ૫. ૧૩) આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે, અને તે જોઈએ પણ ખરી. પ્રસ્તુત સૂત્રપાઠ ક આવૃત્તિમાં વર્ણસામ્યના લીધે પડી ગયો છે. અહીં ટીકામાં બધાં નિગમનો સુગમ જણવ્યાં છે. ઘ તથા મ આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org