Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૯]... અર્થાત બીજી અને ત્રીજી વાચનામાં પ્રક્ષિપ્ત થયેલાં સૂત્રપદો પૈકીનું એક પણ વધારાનું સૂત્રપદ આ બે આવૃત્તિઓમાં નથી. ડે. વૉલ્ટર શુલ્કીંગસંપાદિત નિશીથસૂત્રની વાચનામાં અહીં અમે પહેલી વાચનામાં જણાવ્યા પ્રમાણે જ સૂત્રપદો છે, અર્થાત એક એક સૂત્રપદનું સંપૂર્ણ સૂત્ર બનાવીને નથી આપ્યું, પણ હસ્તલિખિત પ્રતિઓની વાચના મુજબ જ પ્રમાણિત વાચના આપી છે. પહેલી વાચનામાં આવેલા યહુવાને સૂત્રપદના બદલે ડો. વૉલ્ટર શુલ્કીંગની વાચનામાં સટ્ટાવાને છે, જે તે યુગમાં જર્મનીમાં વિશિષ્ટ પ્રત્યંતરો અને સંદર્ભગ્રંથોના અભાવે થાય તે સ્વાભાવિક છે. બાકી, તેમણે જે સાધનોથી નિશીથ આદિ સૂત્રોની વાચનાઓ તૈયાર કરી છે તેવી પણ વિપુલ સાધનોથી પણ જવલ્લે જ કોઈ કરી શકે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મ આવૃત્તિમાં સહુવાને ના બદલે લઠ્ઠવાળે છે, જ્યારે સૌપ્રથમ મુનિ શ્રી નથમલજી સંપાદિત આવૃત્તિમાં પ્રસ્તુત સહુને સૂત્રપદ મૂળ વાચનામાં સ્વીકાર્યું છે, તેમનો આ પાઠનિર્ણય પ્રામાણિક અને મૌલિક છે.
પ્રજ્ઞાપના તથા નિશીથસૂત્રના ઉપર જણાવેલા સૂત્રપાઠોના સ્થાનમાં મુનિશ્રી પુષ્પભિક્ષુજીએ મુરામે માં જે પાઠો આપ્યા છે તેમાં તો એમની મનસ્વિતા જ કામ કરી ગઈ છે, તે જણાવીએ છીએ :
પ્રજ્ઞાપના સૂત્રની અમારી આવૃત્તિના ૨૩૭ મા પૂછમાં આવેલા ૯૭૨ મા સુત્રની ૨૦૩ ક્રમાંકવાળી ગાથાના પૂર્વાર્ધનો પાઠ કોઈપણ આધાર વિના સુલ્તાન માં આ પ્રમાણે પ્રકાશિત કર્યો છે–ચાય મસી ય મળી તુ પાળિય તે ના તહીં ચા અને આગળ ૯૯૯ [૨] સૂત્રના સ્થાનમાં પુર્વ CM મિટાવેvi કિં મળિ કુદ્ધ પાળિચૈ તેરું Hitળચં! જયારે પ્રાચીન-પ્રાચીનતમ સૂત્રાદશનો મૌલિક શુદ્ધ પાઠ અનુક્રમે આ પ્રમાણે છે-માય મસી ય મ ૩યુવાને તે જાળિય વય જ ! અને ઘઉં ggvi મિટાવે મ મ ૩છુપાઇi તે૪ ળિયું વર્ષ | નિશીથસૂત્રમાં આવતા આ સંદર્ભમાં પણ અહીં અમે સ્વીકારેલાં સૂત્રપદોની મૌલિક્તા માટે અમે ઉપર જણાવી ગયા છીએ. સુત્તાએ ગત નિશીથસૂત્રમાં પણ વાસૂત્ર રવીકાર્યું નથી. પ્રજ્ઞાપનાસૂત્ર તથા નિશીથસૂત્રમાં આવતો વસી શબ્દ સુત્તા ના સંપાદકજીને ગમ્યો નહિ હોય તેથી તેને સ્વેચ્છાએ કાઢી નાખ્યો છે. અલબત, પદાર્થની દષ્ટિએ વ ચરબી એ આપણને સૂગ આવે તેવો પદાર્થ છે જ, પણ તેનો એવો અર્થ નથી કે આપણે સૂત્રપાઠોમાં આવતા શબ્દોને સ્વેચ્છાએ રવીકારીએ અને સ્વેચ્છાએ કાઢી નાખીએ. પ્રત્યેક સમયની સાથે એનો આધ્યામિક ઉપરાંત સામાજિક આદિ અનેક પ્રકારનો ઈતિહાસ સંકળાયેલો હોય છે. આ ઇતિહાસ તેના સમયમાં રચાયેલા ગ્રંથોની પ્રાચીનતા આદિ વિવિધ બાબતોની સાક્ષી માટે એક પ્રકારના પુરાવારૂપ ગણાય છે.
અદ્યાવધિ પ્રકાશિત થયેલી પ્રજ્ઞાપના સૂત્રની આવૃત્તિઓ પૈકીની ધ અને મ આવૃત્તિમાં ૯૭૨ મા સૂત્રમાં આવતા ૩યુવાને શબ્દના બદલે પુરવાળે શબ્દ છે, જે યદુવાળનું લિપિદોષજન્ય સ્વરૂપ છે. ૯૯૯ [૨] ક્રમાંકવાળા સૂત્રમાં તો સહુવા ના બદલે સર્વ પ્રકાશનોમાં દુદ્દે વાળ પાઠ છે.
૬૭. ૧૮૧૭મા સૂત્રમાં આવેલો છે જે પકવાદાત્તાપુ możતિ તેસિં અસંવેનgમાનहारेंति णेगाइं च णं भागसहस्साई अफासाइजमाणाणं अणासाइजमाणाणं विद्धंसमागच्छंति (५० ३४६) આ સૂત્રપાઠ પ્રાચીન-અર્વાચીન સમગ્ર હસ્તલિખિત સૂત્રપ્રતિઓ આપે છે; તેમ જ અદ્યાવધિ પ્રકાશિત થયેલી સુ સિવાયની સમગ્ર આવૃત્તિઓમાં પણ આ પાઠ આવો જ છે. આ સૂત્રપાઠને અનુસરતી ટીકાની વ્યાખ્યા આ પ્રમાણે છે–વાન પુત્રાનું પ્રક્ષેપાહારતયા પ્રતિ સેવામાયતનં भागमाहारयन्ति 'अनेकानि पुनर्भागसहस्राणि' बहवोऽसङ्खथेयभागा इति अस्पृश्यमानानामनास्वाद्यમાનાનાં વિāમાછંતિ . (ટીકાપત્ર ૫૦૮ પૃષ્ટિ ૧). પ્રસ્તુત સૂત્રપાઠમાં આવેલાં મારાફુન્નીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org