Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મન-વચન-કાય એ ત્રણના આધારે થનાર આત્માના વ્યાપારને યોગ કહેવામાં આવે છે. તેનો જ નિર્દેશ પ્રસ્તુત પદમાં પ્રયોગ શબ્દથી છે. તે આત્મવ્યાપાર? એટલા માટે કહેવાય છે કે આત્મા ન હોય તો એ ત્રણેની વિશિષ્ટ ક્રિયા થઈ શકતી નથી. જૈન પરિભાષા પ્રમાણે એ ત્રણે પુદ્ગલમય છે અને પુદ્ગલનો જે સામાન્ય વ્યાપાર ગતિ એ તો આત્મા વિના પણ તેમાં હોઈ શકે, પરંતુ જ્યારે પુદ્ગલો મન-વચન-કાયરૂપે પરિણત થયા હોય છે ત્યારે તેમને આત્માના સહકારથી જે વિશિષ્ટ પ્રકારનો વ્યાપાર થાય છે, તે તો તે તે રૂપે અપરિણતમાં સંભવે નહિ. વળી, પુદ્ગલનો મન આદિ પરિણામ પણ આત્માના કર્મને જ અધીન છે. તેથી તેમના વ્યાપારને આત્મવ્યાપાર કહી શકાય છે. એ વ્યાપાર–પ્રયોગના ૧૫ ભેદ (૧૦૬૮)નો નિર્દેશ કરી સામાન્ય જીવમાં અને વિશેષ રૂપે ૨૪ દંડકોમાં પ્રયોગની યોજના જણાવી છે (૧૦૬૯-૧૦૮૪). આ યોજનામાં અમુક પ્રયોગ હોય ત્યારે એની સાથે અન્ય કેટલા પ્રયોગ હોય એની પણ ભંગરચના કરી બતાવી છે.
...[ o૦૧ ]...
,
સોળમું ‘ પ્રયોગ * પદ : પ્રયોગ–આત્માનો વ્યાપાર
ષટ્યુંડાગમમાં પણ યોગના, પ્રજ્ઞાપનાની જેમ જ, પંદર ભેદો છે અને તેની યોજના વોને લગતાં માર્ગણુાદ્દારોને અવલંખીને છે.—પુ॰ ૧, પૃ૦ ૨૭૮ થી. ષટ્યુંડાગમમાં મન-વચન-કાય એ ત્રણ મૂળ ભેદોનો ‘ પ્રયોગકર્મે ' માં સમાવેશ છે, પણ તેના ઉત્તર ભેદોની ગણના ધવલામાં છે.—પુ॰ ૧૩, પૃ૦ ૪૩,
પ્રયોગના પંદર ભેદ નીચે પ્રમાણે છે (૧૦૬૮) :
૧. સત્યમન:પ્રયોગ.
૨. અસત્યમન:પ્રયોગ.
૩. સત્ય-મૃષામન:પ્રયોગ.
૪, અસત્ય-મૃામનઃપ્રયોગ.
૫–૮. એ જ પ્રમાણે વચનના પ્રયોગના ચાર ભેદ.
૯. ઔદારિકશરીરકાયપ્રયોગ. ૨
૧૦. ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ.
૧૧. વૈક્રિયશરીરકાયપ્રયોગ.
૧૨. વૈક્રિયમિત્રશરીરકાયપ્રયોગ,
૧૩. આહાર શરીરકાયપ્રયોગ.
૧.
“ પ્રયોગ: પિન્વયિા, આત્મવ્યાપાર ત્યર્થ: ''પ્રજ્ઞાવનાટીવા, ૫ત્ર ૩૧૭,
66
आत्मप्रवृत्तेः कर्मादाननिबन्धनवीर्योत्पादो योगः | अथवा आत्मप्रदेशानां सङ्कोचविकोचो योग: " --ધવા, ૧, ૫૦ ૧૪૦.
આચારાંગનિર્યુક્તિમાં (ગા૦ ૧૮૩) કર્મના દશ ભેદોમાં એક ‘ પ્રયોગકર્ભે ' એવો ભેદ છે. તેની વ્યાખ્યામાં આચાર્ય શીલાંક ૧૫ ભેદો ગણાવે છે. પત્ર ૯૪.
૨. ખંડાગમમાં કાચપ્રયોગ ’માં ‘ શરીર ’ પદ નથી. ‘ કોયિાયનોનો’એવા પાડો છે. ષટ્યુંડા॰ પુ॰ ?, પૃષ્ઠ ૨૮૯. વળી, મનના ચાર, વચનના ચાર અને કાયના સાત એમ ભેદો ગણાવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org