Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રા—પદાર્થŕના યથાર્થ સ્વરૂપને જાણુનારા એટલે કે સમ્યગ્દષ્ટિ તથા રાગદ્વેષથી રહિત હૈાવાને કારણે શાન્ત અને સમભાવયુક્ત મુનિએ આ શ્રુતચારિત્ર રૂપ ધર્મને જાણીને અને પરીષહેા અને ઉપસગે† પર વિજય પ્રાપ્ત કરીને, જ્યાં સુધી મેાક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સયમની આરાધના કરવી જોઈએ, ત્તિ લેનિ' એવું હું' (સુધર્મા સ્વામી) કહું છું. ૫૨૧૫
ટીકા”—જે મુનિ સમ્યગ્દષ્ટિવાળો છે-એટલે કે જીવ, અજીવ આફ્રિ પદ્યાર્થીના વાસ્તવિક સ્વરૂપને જાણકાર છે, અને રાગ અને દ્વેષથી રહિત હાવાને કારણે પ્રશાન્ત છે, તેણે અહિંસા આદિમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાને લીધે પ્રીતિકર, સજ્ઞ પ્રરૂષિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને જાણીને, સમસ્ત કર્મીને ક્ષય થાય ત્યાં સુધી, સંયમના પાલનમાં લીન રહેવુ જોઈએ.
ત્તિ ગેમિ” આ શબ્દો ઉદ્દેશકની સમાપ્તિના સૂચક છે. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે હે જમ્મૂ! આ બધી વાત મે' ભગવાનના શ્રીમુખે સાંભળેલી છે, સજ્ઞ પ્રતિપાદિત તત્ત્વનું જ હું તમારી પાસે કથન કરી રહ્યો છું. મારી પેાતાની બુદ્ધિથી ઉપજાવી કાઢેલી આ વાત નથી.' ૫૨૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ની સમયાથ માધિની વ્યાખ્યાના ત્રીજા અધ્યયનના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।।૩-શા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
LI
૬૪