Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર નીકળી રહ્યું છે, અને જેના ઘાવમાં કીડા એ ખદબદી રહ્યા છે એ બૂઢે કૂતરો પણ કામાસક્ત થઈને કૂતરીની પાછળ પાછળ ફર્યા કરે છે. આ કામવાસના મરેલાને પણ મારવામાં કોઈ કચાશ રાખતી નથી.” | ૧
જેમનું મન ભેગમાં આસક્ત હોય છે, તેમને કેવી કેવી વિટંબણાઓ સહન કરવી પડે છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે-“મe ' ઇત્યાદિ
શદાર્થ–“ગા-ગા' ભેગભગવ્યા પછી “મેરાવજો–મેલના ચારિત્રથી ભ્રષ્ટ “કુરિઝર્થ-મૂરિઝ ' સ્ત્રીમાં આસક્ત “મરિવર્ણ-જાતિવન' વિષય ભેગોની ઈચ્છાવાળા “સં સુ-ત્ત તું' એ “મિરડું-મિક્ષુનું સાધુને તે સ્ત્રી
મિરિયા–રિમિ' પિતાને વશ થયેલ જાણીને “તો ઘરછા’ તતઃ–પહાર' તે પછી “જા -પારાવાર્થ0 પિતાના પગને “gિ-મુનિ' તેના મસ્તક પર “જાતિ-પ્રદાનિત” પ્રહાર કરે છે. મારા
સૂત્રાર્થ –ત્યાર બાદ-ચારિત્રથી ભ્રષ્ટ થયેલા, સ્ત્રીઓમાં વૃદ્ધ (આસક્ત), અને કામોની અભિલાષાવાળા તે ભિક્ષુને તે સ્ત્રી પિતાને વશ થઈ ગયેલો જાણીને, પગ ઊંચે કરીને તેના મસ્તક પર લાત પણ લગાવે છે. રા
ટીકાર્થ–સ્ત્રીમાં આસક્ત થયા બાદ, ચારિત્રથી ભ્રષ્ટ થયેલા, સ્ત્રીલેલુપ અને કામવાસનાથી યુક્ત એવા તે સંયમભ્રષ્ટ સાધુને પૂરે પૂરો પિતાને અધીન થયેલે જાણીને-એટલે કે તે હવે પોતાના કહ્યા અનુસાર જ કરશે એવું સમજીને-તે સ્ત્રી તે સાધુના મસ્તક પર લાતોના પ્રહાર કરે છે, અને તે સાધુ વિષયાસક્ત થવાને લીધે એટલે પતિત થઈ ગયો હોય છે કે કુપિત થયેલી તે સ્ત્રીને માર પણ સહન કરી લે છે. મોટા મોટા પ્રાણી પણ સ્ત્રીની સમીપમાં કાયર બની જાય છે. કહ્યું પણ છે– મન પર ઈત્યાદિ–
વિખરાયેલી કેશવાળીને કારણે ભરાવદાર મસ્તકવાળે, સિંહ, જેના ગંઠસ્થળમાંથી મદ કરી રહ્યો છે એવો મન્મત્ત ગજરાજ અને બુદ્ધિમાન અને સંગ્રામશૂર નર પણ સ્ત્રીની પાસે કાયર (નરમ ઘેંસ જે) બની જાય છે.”
આ પ્રકારે જેનું ચિત્ત કામાસક્ત હોય છે, એવા પુરુષને સ્ત્રિઓની લાતેના પ્રહાર પણ સહન કરવાને પ્રસંગ આવે છે. તેથી સાધુએ સિઓમાં આસક્ત થવું જોઇએ નહીં. મારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૩૨