Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્થ–સ્વ અને પરના અનુગ્રહ (ઉપકાર) નિમિત્તે જે આપવામાં આવે છે, તેને દાન કહે છે. દાનના અનેક ભેદ છે. તે સઘળા પ્રકારનાં દાનમાં અભયદાન સૌથી ઉત્તમ છે, કારણ કે જીવવાની અભિલાષાવાળા જીની તેના દ્વારા રક્ષા થાય છે. કહ્યું પણ છે કે
“રીચને ઝિમાળ ઈત્યાદિ–
મરણને ભય જેની સામે ઉપસ્થિત થયે હેય એવા કઈ પણ મનુષ્યને એક કરોડ સોના મહેરો અથવા જીવનદાન અર્પવાનું કહેવામાં આવે અર્થાત્ બનેમાંથી એક જ વસ્તુ ગ્રહણ કરવાનું કહેવામાં આવે તે તે સેના મહાને પસન્દ કરવાને બદલે જીવનદાન જ પસન્દ કરશે, કારણ કે પ્રત્યેક પ્રાણીને પોતાને જીવ જ સૌથી અધિક પ્રિય હોય છે.”
મૃત્યુ ઉપસ્થિત થાય ત્યારે જીવને કરડે સેનામહોરો આપવામાં આવે તે પણ એટલે સંતોષ થતો નથી કે જેટલો અભયદાન–જીવનદાનમળવામી થાય છે. મદમતિવાળા લોકોને કઈ પણ વાત સરળતાથી સમાજાવવી હોય, તે ઉદાહરણ આપવું પડે છે. તેથી સૂત્રકાર એક ઉદાહરણ દ્વારા અભયદાનની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે–વસન્તપુર નામે એક નગર હતું. અરિદમન નામનો રાજા ત્યાં રાજય કરતે. તે એક દિવસ તે પિતાની ચાર રાણુઓની સાથે રાજમહેલના ઝરુખામાં બેઠે બેઠે વાર્તાવિનેદ કરી રહ્યા હતા. એવામાં રાણીઓની તથા રાજાની દષ્ટિ એક બન્દિવાન ચેર પર પડી. તેના ગળામાં લાલ કનેર (કરણ) નાં પુષ્પોની માળા હતી, તેણે લાલ રંગનાં વસ્ત્રો પહેરેલાં હતાં, તેના આખા શરીર પર લાલ ચન્દનને લેપ કરેલ હતું, “આ પુરુષ વધ કરવાને ગ્ય છે, એવી ઘોષણા થઈ રહી હતી તેવા ચેરને રાજ પુરુષ રાજમાર્ગ પરથી લઈને જતા હતા.
તેને જોઈને રાણીઓએ એક રાજપુરુષને બોલાવીને પૂછયુ
“આ માણસે છે અપરાધ કર્યો છે કે જેને કારણે તેની આ પ્રકારની દશા થઈ છે ?”
રાજપુરુષે જવાબ દીધે-“આ માણસે પારકા દ્રવ્યનું અપહરણ કર્યું છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૩૯