________________
૯૬
पितृभिस्ताडितः पुत्रः, शिष्यश्च गुरुशिक्षितः । ધનાહતં સુવળ ચ, નાયતે ખનમઙનમ્ ॥ ↑ II
આચારપ્રદીપ
પિતા વડે તાડન કરાયેલો પુત્ર, ગુરુ વડે શિક્ષા કરાયેલો શિષ્ય અને ઘણ વડે હણાયેલું સુવર્ણ લોકનું આભૂષણ બને છે.
પરંતુ તેના પુત્રની તેવા પ્રકારની બુદ્ધિ નથી, તેવા પ્રકારની હૃદયની શુદ્ધિ પણ નથી અને તેવા પ્રકારનો વિદ્યાગ્રહણ કરવા સંબંધી પ્રયત્ન પણ નથી. તથા તેવા પ્રકારનો ભાગ્યનો યોગ પણ નથી. તેથી ઝવેરી ઘણો પ્રયત્ન કરે તો પણ કાળમીંઢ પથ્થરમાં નિર્મળતા ન થાય તેમ તેના પિતાએ ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ તેનામાં જરા પણ કલાની કુશળતા ન થઈ. કહ્યું છે કે—
नानुद्योगवता न च प्रवसता, मानं न चोत्कर्षता, नालस्योपहतेन नान्यमनसा, नाचार्यविद्वेषिणा । न भ्रुभङ्गविलासविस्मितमुखीं सीमन्तिनीं ध्यायता, लोके ख्यातिकरः सतां बहुमतो, विद्यागुणः प्राप्यते ॥ १ ॥
ઉદ્યમ વિનાનો હોય, પ્રવાસી હોય, માનના ઉત્કર્ષવાળો હોય, આળસથી હણાયેલો હોય અર્થાત્ આળસુ હોય, જેનું મન અન્યસ્થાને હોય, આચાર્ય ઉપર દ્વેષવાળો હોય, ભૃકુટીના વિલાસથી વિસ્મિત મુખવાળી સ્ત્રીનું ધ્યાન કરતો હોય. આવો પુરુષ લોકમાં ખ્યાતિ કરનારા, સજ્જનોને બહુમત એવા વિદ્યાગુણને પામી શકતો નથી.
પણ મતિની સમૃદ્ધિથી બૃહસ્પતિ જેવા કોકાશે દાસ હોવાના કારણે રથકારના પુત્રની પાસે મૌન થઈને ઊભો રહેતો હોવા છતાં પણ રમતવારમાં જ જાણે પૂર્વે લખીને ભણી ન હોય તેમ બધી કળાઓ શીખી લીધી અને રથકારની કળામાં સોમિલ રથકાર કરતા પણ અધિક કુશળતા ધારણ કરી લીધી.
स्थाने बीजं शुक्तौ स्वातिजलं सति च सत्कृति: पात्रे । दानं मतिमति विद्या वक्तरि वाच्यं च वृद्ध्यै स्यात् ॥ १ ॥
ઉચિત સ્થાને વાવેલું બીજ, શુક્તિમાં પડેલું સ્વાતિજલ, સજ્જન વિષે કરેલો સત્કાર, સત્પાત્રમાં આપેલું દાન, બુદ્ધિશાળીને આપેલી વિદ્યા, વક્તાને કહેલો અર્થ ઉત્તરોત્તર વૃદ્ધિ માટે થાય છે.
શૂન્ય હૃદયવાળા રથકારના પુત્રે તો કલાથી શૂન્ય હોવાના કારણે સોનીની જેમ નિષ્કલતાને જ ધારણ કરી અને કાળક્રમે સોમિલ રથકાર સ્વર્ગલોકમાં અવતાર કરે છતે