________________
આચારપ્રદીપ
અને રાજ્ય આપવા વડે પોતાની સંપત્તિને કૃતાર્થ કરીને પોતાને કૃતાર્થ કરવા માટે રાજાએ દીક્ષાનો સ્વીકાર કરીને પરમપદને પ્રાપ્ત કર્યું.
૨૩૦
હવે તે પુણ્યસાર રાજા ઘણા સુખનું સર્જન કરતો, રાજ્યને સુરાજ્ય રૂપે પ્રસિદ્ધ કરતો, પૃથ્વી ઉપર ઇન્દ્રની જેમ શોભ્યો. કોઇક દિવસે કોઇક વૈદેશિકે=વિદેશથી આવેલા પુરુષે જાણે સૂર્યનો ઘોડો ન હોય એવો સર્વાંગ સુલક્ષણવાળો ઘોડો રાજાને ભેટ આપ્યો. ક્ષત્રિયોને ઘોડાઓથી તુષ્ટિ થાય છે અને વિશેષ કરીને રાજાઓને ઘોડાઓથી તુષ્ટ થાય છે. ઘોડાઓને ખેલાવવાના જ્ઞાનવાળા તે રાજાએ જેટલામાં ઘોડા ઉપર ચઢીને ઘોડાને ખેલાવ્યો, તેટલામાં જાણે ઇન્દ્રના ઘોડાનો સંગ કરવા માટે ન હોય એમ ઉત્સુક થયેલો તે ઘોડો આકાશમાં ઊંચે ઉડ્યો અને ક્ષણવારમાં અદૃશ્ય થઇ ગયો. તે ઘોડો ચોરની કળા કરીને રાજાનું હરણ કરીને વિશિષ્ટ એવા વૈતાઢ્ય પર્વતની પૃથ્વીના શણગાર માટે નૂપુર સમાન રથનૂપૂર નામના નગરમાં લઇ ગયો અને ત્યાં વિદ્યાસિદ્ધ એ રીતે પ્રસિદ્ધિને પામેલા વિદ્યાધરોના નેતાએ માન્ય રાજાઓથી પણ માન્ય એવા આને પોતાના મંદિરમાં લવડાવ્યો. પ્રેમપૂર્વકના આલાપોથી બોલાવીને અને અર્ધાસન ઉપર બેસાડીને કહ્યું કે, અમારા ઘણા પુત્રોમાં પ્રેમપાત્ર એવી એક પુત્રી થઇ. તેના વર માટે શ્રેષ્ઠ નૈમિત્તિક પૂછાયો. તેણે કહ્યું કે—
ઘોડાથી હરણ કરાયેલો જે યુવાન બીજે દિવસે સવારે આ નગરમાં આવશે, જાણે બીજો કામદેવ ન હોય એવો તે જ તારી કન્યાનો વર થવાને યોગ્ય છે. આથી તું અહીં ફોગટ સંશય ન કર. આ પ્રમાણેની તેની ઉક્તિથી હે દક્ષ ! તારા શરીરના સંપૂર્ણ લક્ષણથી પણ તારી વિશ્વમાં ઉત્તમતાનો નિશ્ચય કરીને આનંદપૂર્વક આ પુત્રી આપી. જેમ જેમ નિસ્પૃહતા વધે તેમ તેમ મહત્ત્વ વધે' આથી આ કુમાર અતિશય નિસ્પૃહતાને બતાવતો તે કન્યાને પરણ્યો. મહામહોત્સવપૂર્વક મહાઉત્સાહવાળો વિવાહ કરે છતે રાજાએ કુમારને ધન, મહેલ વગેરે અને સૈન્ય, નોકર આદિ સારી રીતે આપ્યું. પૂર્વે કરેલા સુકૃતોનો મહિમા માપવાળો નથી અર્થાત્ અમાપ છે, જેથી વિદ્યાધર રાજાએ પણ આ પ્રમાણે તેને પુત્રી વગેરે આપ્યું. અને આ પ્રમાણે કાંચનપુર નગરના રાજાએ પોતાની પુત્રી પૂર્વની જેમ અર્થાત્ મોટા મહોત્સવપૂર્વક તેની સાથે પરણાવી. મોટા માણસનો કોણ સ્વીકાર ન કરે ? તે જ પ્રમાણે ઉત્તરશ્રેણિના બંને ખેચર રાજાઓએ પોતાની કન્યા તેને આપી. કારણ કે લોક પૂજાયેલાની પૂજા કરનારો હોય છે. વિદ્યાધરીઓનું આલિંગન અને સ્પર્શ કરવામાં લોલુપતાને ધારણ કરતો અને વિદ્યાધરો વડે સત્કાર કરાયેલો તે કુમાર ત્યાં કેટલોક કાળ રહ્યો. ત્યાં ચારે બાજુ વિદ્યાથી ઉત્પન્ન થયેલા અને જોનારાઓને ઉત્સુક કરનારા ઘણા પ્રકારના આશ્ચર્યોને જોવાથી અને ઘણાં શાશ્વત ચૈત્યોની યાત્રાઓ કરવાથી તથા