________________
૨૬૨
આચારપ્રદીપ
अणसायणा य १ भत्ती २, बहुमाणो ३ तहय वन्नसंजलणा ४ । તિસ્થયરા તેરસ, વડા હુંતિ વાવેal | ૨ [શવૈનિરૂર૬]
તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણિ આ તેર પદોને અનાશાતના, ભક્તિ, બહુમાન અને વર્ણ સંજવલના આ ચાર પદથી ગુણતા બાવન થાય છે.
અહીં નાગેન્દ્ર, ચાંદ્ર વગેરે કુલ છે. કોટિક વગેરે ગણ છે. સીદાતા સાધુઓને સ્થિર કરવાનું કારણ ગણાધિપતિ એટલે કે ગણી તે સ્થવિર છે એમ દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે. જ્યારે પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં તો કેટલાક સાધુસમુદાયના અધિપતિ તે ગણી એમ કહ્યું છે. ઉચિત ઉપચારરૂપ ભક્તિ છે અને આંતરપ્રીતિ વિશેષ તે બહુમાન છે. વર્ણ એટલે કીર્તિ, સંજવલના એટલે તેનું પ્રકાશન કરવું અર્થાત્ તેમની કીર્તિને વિસ્તારવી તે વર્ણસંજવલના.
વિનય આ લોક અને પરલોક એમ બંને પણ લોકમાં સર્વાર્થસિદ્ધિસાધક છે. ઇત્યાદિ જ્ઞાનાચારના બીજા ભેદની વ્યાખ્યામાં કહ્યું છે. આ પ્રમાણે વિનય પૂર્ણ થયો.
(૩) વૈયાવચ્ચ વ્યાધિ, પરીષહ, ઉપસર્ગ વગેરેમાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આપવું, વિશ્રામણા કરવી ઇત્યાદિથી તેનો પ્રતિકાર કરવો અને આચાર્યાદિને અનુકૂળ અનુષ્ઠાન કરવું તે વેયાવચ્ચ છે. વૈયાવચ્ચ દશ પ્રકારે છે. आयरिअ १ उवज्झाए २, थेर ३ तवस्सी ४ गिलाण ५ सेहे अ६ । साहम्मिअ ७ कुल ८ गण ९ संघ १० संगयं तमिह कायव्वं ॥१॥
આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ આ દશનું જે જેને સંગત હોય તે કરવું તે વેયાવચ્ચ.
તેમાં શ્રુત, પર્યાય અને વયના ભેદથી સ્થવિર ત્રણ પ્રકારે છે. સમવાયાંગ સુધીનો અભ્યાસ કરનાર શ્રુતસ્થવિર છે. દીક્ષાને વિસ આદિ વર્ષો થયા હોય તે પર્યાય વિર છે. જીવનના સીત્તેર વગેરે વર્ષો થયા હોય તે વયસ્થવિર છે. ચાર ઉપવાસ વગેરે વિકૃષ્ટ તપ કરનાર હોય તે તપસ્વી છે. એક જાતિવાળા ઘણા ગચ્છોનો સમૂહ તે ચાંદ્ર વગેરે કુલ છે. એક આચાર્યને આધીન સાધુસમુદાય તે ગચ્છ. અહીં ગચ્છનો કુલની અંદર સમાવેશ થઈ જતો હોવાથી અલગ કહ્યો નથી. કુલનો સમુદાય તે કોટિક વગેરે ગણ છે. સાધુ આદિ ચાર પ્રકારનો સંઘ છે.