________________
ચોથો.પ્રકાશ - સમાચાર
૨૬૯
અહીં તે તે સમયે ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેમને એવા મરુદેવા, ભરત ચક્રવર્તી, આદિત્યયશ વગેરે આઠ રાજર્ષિ, પૃથ્વીચંદ્ર, પ્રસન્નચંદ્ર, ઇલાપુત્ર વગેરે સઘળા ય દષ્ટાંતો પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ધ્યાન પૂર્ણ થયું.
(૬) કાયોત્સર્ગ લટકતી બે ભુજા રાખીને કાયાની અપેક્ષા રાખ્યા વિના રહેવું તે કાયોત્સર્ગ. અને તે ઊભા રહેલાઓને કે સૂતેલાઓને (=લાંબા થઈને ભૂમિ ઉપર રહેલાઓને) યથાશક્તિ હોય છે. તેમાં છબસ્થ તીર્થકરો અને જિનકલ્પિક વગેરે બેસવું વગેરે કરતા ન હોવાથી તેમને ઊભા ઊભા જ કાયોત્સર્ગ હોય છે. જયારે પણ જિનકલ્પિક બેસે છે ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે અને જ્યારે રાત્રિના ત્રીજા પહોરમાં સૂવે છે ત્યારે પણ તે જ અવસ્થામાં સૂવે છે. સ્થવિર કલ્પિકોને તો યથાશક્તિ કાયોત્સર્ગ હોય છે. કાયોત્સર્ગમાં ઓગણીસ દોષો ત્યાગ કરવા યોગ્ય છે. કાયોત્સર્ગ નિર્યુક્તિમાં તે આ પ્રમાણે કહ્યા છેघोडग १ लया य २ खंभे कुड्डे३ माले अ४ सबरि५ वहु ६ निअले ७। लंबुत्तर ८ थण ९ उद्धी १०संजइ ११खलिणे अ१२ वायस १३ कविढे १४ ॥१॥ सीसुक्कंपि अ१५ मूई १६ अंगुलिभमुहा य १७ वारुणी १८ पेहा १९ ।[ आव०नि०-१५६०]
ઘોટક, લતા, સ્તંભકુચ, માળા, શબરી, વધુ, નિગડ, લંબુન્નર, સ્તન, ઊદ્ધી, સંયતી, ખલિણ, વાયસ, કપિત્થ, શીર્ષકંપ, મૂક, અંગુલિભૂ, વારુણી, વાનર. (૧) ઘોટક- ઘોડાની જેમ એક પગ સંકોચીને=વાંકો વાળીને ઊભા રહેવું તે ઘોટક - દોષ. (૨) લતા- પવનથી કંપતી લતાની જેમ શરીરને કંપાવવું=હલાવવું તે લતાદોષ. (૩) ખંભમુક્ય થાંભલો, દિવાલ વગેરેનો ટેકો લઈને ઊભા રહેવું તે સ્તંભકુડચ દોષ. (૪) માલ- ઉપર માળીયાને માથું ટેકવી ઊભા રહેવું તે માલદોષ. (૫) શબરી– નગ્નશબરી (=ભીલડી)ની જેમ ગુહ્યસ્થાનમાં બે હાથ સ્થાપન કરીને
ઊભા રહેવું તે શબરીદોષ. (૬) વધૂ- ફૂલવધૂની જેમ માથું નમાવીને ઊભા રહેવું તે વધૂદોષ. (૭) નિગડ- બેડીથી બંધાયેલાની જેમ બે પગ પહોળા કરીને અથવા તો બે પગને
ભેગા કરીને ઊભા રહેવું તે નિગડદોષ.