Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 280
________________ ૨૭૧ ચોથો પ્રકાશ - તપાચાર - બીજાઓ કહે છે કે, દારૂ પીવાથી ઉન્મત્ત થયેલાની જેમ પૂર્ણતો રહે તે વારુણીદોષ. (૧૯) વાનર- વાનરની જેમ અહીં તહીં જોતા અને બંને ઓષ્ઠ ચલાવતા રહેવું તે વાનરદોષ. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો સ્તંભ અને કુષ્ય એ બે દોષ અને અંગુલિ અને ભૂ એ બે દોષની અલગ અલગ વિવક્ષા કરી હોવાથી કાયોત્સર્ગના એકવીસ દોષો કહેલા છે. આ દોષમાંથી લંબુન્નર, સ્તન અને સંયતી આ ત્રણ દોષો સાધ્વીઓને નથી હોતા. તથા આ ત્રણ ઉપરાંત વધૂદોષ એમ ચાર દોષો શ્રાવિકાઓને નથી હોતા. કેટલાક તો કાયોત્સર્ગના બીજા દોષો પણ કહે છે. જેમ કે, निष्ठीवनं वपुःस्पर्शः, प्रपञ्चबहुला स्थितिः । सूत्रोदितविधेयूंनं, वयोऽपेक्षाविवर्जनम् ॥१॥ થુંકવું, શરીરનો સ્પર્શ, ઘણા પ્રપંચપૂર્વક રહેવું, સૂત્રમાં કહેલી વિધિથી ન્યુન કરવું અને વયની અપેક્ષા ન રાખવી અર્થાત્ જેમ ફાવે તેમ વર્તવું. कालापेक्षाव्यतिक्रान्ति-ाक्षेपासक्तचित्तता । लोभाकुलितचित्तत्वं, पापकार्योद्यमः परः ॥ २ ॥ कृत्याकृत्यविमूढत्वं, पट्टकाद्युपरिस्थितिः । કાળની અપેક્ષા ઓળંગી જવી, મનને આમ તેમ ભટકતું રાખવું, લોભથી આકુળવ્યાકુળ થવું, પાપકાર્યોમાં અતિશય ઉદ્યમ કરવો, કાર્ય-અકાર્યમાં મૂઢ થવું, પાટ આદિ ઉપર ઊભા રહેવું. “આ પ્રમાણે દોષથી રહિત કરાયેલો કાયોત્સર્ગ પૂર્વે કહેલા ધ્યાનથી પણ અધિક ફળવાળો છે. કારણ કે ધ્યાનમાં પ્રાયઃ મન-વચનની જ નિયંત્રણા હોય છે. જ્યારે કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા હોય છે. જેથી આગમમાં કહ્યું છે કે, . काउस्सग्गे जह सुट्ठिअस्स, भज्जंति अंगुवंगाई। इअभिदंति मुणिवरा, अट्ठविहं कम्मसंघायं ॥१॥[आव.नि.१५६५] જેવી રીતે કાઉસ્સગ્નમાં રહેલાના અંગોપાંગ ભાંગે છે તેવી રીતે મુનિવરો આઠ પ્રકારના કર્મસંઘાતને ભેટે છે. આથી જ બાહ્ય અને અત્યંતર ભેટવાળા તપની ઉપર કહેલા ધ્યાનની પણ ઉપર

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310