________________
૨૭૧
ચોથો પ્રકાશ - તપાચાર - બીજાઓ કહે છે કે, દારૂ પીવાથી ઉન્મત્ત થયેલાની જેમ પૂર્ણતો રહે તે વારુણીદોષ. (૧૯) વાનર- વાનરની જેમ અહીં તહીં જોતા અને બંને ઓષ્ઠ ચલાવતા રહેવું તે
વાનરદોષ.
યોગશાસ્ત્રની વૃત્તિમાં તો સ્તંભ અને કુષ્ય એ બે દોષ અને અંગુલિ અને ભૂ એ બે દોષની અલગ અલગ વિવક્ષા કરી હોવાથી કાયોત્સર્ગના એકવીસ દોષો કહેલા છે. આ દોષમાંથી લંબુન્નર, સ્તન અને સંયતી આ ત્રણ દોષો સાધ્વીઓને નથી હોતા. તથા આ ત્રણ ઉપરાંત વધૂદોષ એમ ચાર દોષો શ્રાવિકાઓને નથી હોતા. કેટલાક તો કાયોત્સર્ગના બીજા દોષો પણ કહે છે. જેમ કે,
निष्ठीवनं वपुःस्पर्शः, प्रपञ्चबहुला स्थितिः ।
सूत्रोदितविधेयूंनं, वयोऽपेक्षाविवर्जनम् ॥१॥ થુંકવું, શરીરનો સ્પર્શ, ઘણા પ્રપંચપૂર્વક રહેવું, સૂત્રમાં કહેલી વિધિથી ન્યુન કરવું અને વયની અપેક્ષા ન રાખવી અર્થાત્ જેમ ફાવે તેમ વર્તવું.
कालापेक्षाव्यतिक्रान्ति-ाक्षेपासक्तचित्तता । लोभाकुलितचित्तत्वं, पापकार्योद्यमः परः ॥ २ ॥
कृत्याकृत्यविमूढत्वं, पट्टकाद्युपरिस्थितिः । કાળની અપેક્ષા ઓળંગી જવી, મનને આમ તેમ ભટકતું રાખવું, લોભથી આકુળવ્યાકુળ થવું, પાપકાર્યોમાં અતિશય ઉદ્યમ કરવો, કાર્ય-અકાર્યમાં મૂઢ થવું, પાટ આદિ ઉપર ઊભા રહેવું.
“આ પ્રમાણે દોષથી રહિત કરાયેલો કાયોત્સર્ગ પૂર્વે કહેલા ધ્યાનથી પણ અધિક ફળવાળો છે. કારણ કે ધ્યાનમાં પ્રાયઃ મન-વચનની જ નિયંત્રણા હોય છે. જ્યારે કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા હોય છે. જેથી આગમમાં કહ્યું છે કે,
. काउस्सग्गे जह सुट्ठिअस्स, भज्जंति अंगुवंगाई।
इअभिदंति मुणिवरा, अट्ठविहं कम्मसंघायं ॥१॥[आव.नि.१५६५] જેવી રીતે કાઉસ્સગ્નમાં રહેલાના અંગોપાંગ ભાંગે છે તેવી રીતે મુનિવરો આઠ પ્રકારના કર્મસંઘાતને ભેટે છે.
આથી જ બાહ્ય અને અત્યંતર ભેટવાળા તપની ઉપર કહેલા ધ્યાનની પણ ઉપર