________________
૨૬૮
આચારપ્રદીપ
अहो ध्यानस्य माहात्म्यं, येनैकापि हि कामिनी । અનુરી વિIઓ, મવાય ર શિવાય a || ૨ |
અહો ! ધ્યાનનો મહિમા તો જુઓ! કે જે ધ્યાનના કારણે એક પણ સ્ત્રી અનુરાગથી સંસારનું કારણ બને છે અને તે જ સ્ત્રી વિરાગથી મોક્ષનું કારણ બને છે.
ઋષિએ પણ કહ્યું છે કે, जे जत्तिआ य हेऊ, भवस्स ते चेव तत्तिआ मुक्खे। गणणाईआ लोगा, दुण्हवि पुन्ना भवे तुल्ला ॥ १ ॥ [ओघनि०-५३]
જે અને જેટલા સંસારના કારણો છે તે જ અને તેટલા જ મોક્ષના કારણો છે. તે કારણો કેટલા છે? ગણનાથી અતીત લોક જેટલા છે. અર્થાતુ અસંખ્યય લોક જેટલા છે.' વળી આવા પૂર્ણ ભરેલા અસંખ્ય લોક તુલ્ય છે. અર્થાત્ જેટલા પૂર્ણ અસંખ્ય લોક પ્રમાણ હેતુઓ સંસારના છે તેટલા પૂર્ણ અસંખ્ય લોક પ્રમાણ હેતુઓ મોક્ષના છે.
જેટલા પણ સિદ્ધ ભગવંતો સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે સઘળા ય વિવિધ પ્રકારના દુષ્કર તપ કરતા હોવા છતાં પણ શુભ ધ્યાનથી જ સિદ્ધ થાય છે અને થશે. તપ વિના પણ શુભ ધ્યાનથી મરુદેવી, ભરત ચક્રવર્તી વગેરે સિદ્ધ થયા છે. અને આ પ્રમાણે શુભ ધ્યાન જ મોક્ષનું આંતરા વિનાનું અવંધ્ય ( નિષ્ફળ ન જાય તેવું) કારણ છે. બાકીના સઘળા ય સુકૃત્યો પરંપરાએ જ મોક્ષનું કારણ છે. આ પ્રમાણે સઘળા ય સુકૃત્યોથી પણ સઘળા ય પ્રકારે શુભધ્યાન અતિશયવાળું છે. જેથી કહ્યું છે કે,
निर्जराकरणे बाह्यात्, श्रेष्ठमाभ्यन्तरं तपः ।। तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयो जगुः ॥१॥
નિર્જરા કરવામાં બાધ તપ કરતા અત્યંતર તપ શ્રેષ્ઠ છે. તેમાં પણ ધ્યાનનું એક છત્રીપણું છે.
ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે, संवर वि णिज्जराओ, मोक्खस्स पहो तवो पहो तासि । झाणं च पहाणंगं, तवस्स तो मुक्खहेऊ तं ॥१॥[ध्यानशतकम्-९६]
સંવર પણ નિર્જરી કરાવવા દ્વારા મોક્ષનો માર્ગ છે. નિર્જરાનો માર્ગ તપ છે અને તપનું મુખ્ય અંગ ધ્યાન છે. તેથી ધ્યાન મોક્ષનું કારણ છે.