________________
આચારપ્રદીપ
જ હોય છે. રાજાની કૃપા રૂપી પ્રસરતા રસના ઉલ્લાસથી સમુદ્ર(=યુવરાજની મુદ્રાથી સહિત) તે ત્યાં શોભ્યો તે યોગ્ય છે છતાં તેમાં જડતાનો આશ્રય નથી તે આશ્ચર્ય છે. બીજી રીતે અર્થ આ રીતે છે— ન નડારાયઃ સમુદ્રઃ પાણીનો આશ્રય ન હોવા છતાં પણ અર્થાત્ પાણી વિનાનો પણ સમુદ્ર શોભ્યો તે આશ્ચર્ય છે. સાક્ષાત્ વિષ્ણુ જે રીતે લક્ષ્મીની સાથે ભોગોને ભોગવે તે રીતે તેણે તે પત્ની સાથે લાંબા કાળ સુધી ભોગોને ભોગવ્યા. ભોગીઓને સર્વત્ર ભોગો હોય છે. ક્રમે કરીને તેણીને રૂપ વગેરેથી અદ્ભૂત પુત્ર થયે છતે દૌહિત્રની પ્રાપ્તિથી ખુશ થયેલા રાજાએ જમાઇને રાજ્ય પણ આપ્યું. હવે રાજા કુસ્વામિત્વને =પૃથ્વીના સ્વામિત્વને છોડીને ચારિત્રરૂપી લક્ષ્મીના સુસ્વામિત્વને ભોગવીને તે જ ભવમાં મોક્ષ રૂપી લક્ષ્મીનો સ્વામી થયો.
૨૩૪
હવે પુણ્યસાર કુમાર પિતાના નગરમાંથી નીકળે છતે પોતાના પુત્રના વિયોગથી પિતા વગેરે દુ:ખી થયા. માણસો મોકલવા દ્વારા ચારે બાજુ પણ શોધ કરવા છતાં હાથમાંથી પડી ગયેલા મણિની જેમ તે માણસોને તે કુમાર ક્યાંય પણ પ્રાપ્ત ન થયો. ત્યાર પછી અપાર દુ:ખસમુદ્રના પારને પામવા માટે રાજાએ નૈમિત્તિક આદિને પુત્રની શુદ્ધિ પુછી અને તેઓએ કહ્યું કે સ્થાને સ્થાને જેની પૂજા થઇ રહી છે એવો તમારો પુત્ર સદા સુખી છે. દૂર દૂરના દેશોમાં જનારો છે અને ઇચ્છિત ભોગોને ભોગવતો ત્યાં રહેનારો છે. સુંદર મનાયેલા રાજ્ય પ્રદાનના અવસરે ઇષ્ટભાગ્યથી વિશિષ્ટ લક્ષ્મીના સંગવાળો તે જલદીથી તમારો સંગ કરશે. અર્થાત્ રાજ્યપ્રદાનના અવસરે તમને મળશે: આ પ્રમાણે સંવાદ(=સાચું) કહેનારા જ્ઞાનીઓની સમાન ઉક્તિઓથી પુત્ર વગેરેનો નિર્ણય થવાથી જાણે પુત્રની પ્રાપ્તિ ન થઇ હોય તેમ તે રાજા અત્યંત ખુશ થયો.
અને આ બાજુ નિશ્ચલ અને ઊંચા સુંદર કિલ્લાથી અતિશય દુર્ગમ એવા દુર્ગમ નામના નગરમાં (વહાણોની જેમ) નંગરમાં=લંગરમાં લક્ષ્મી સ્થિર કરવામાં આવી છે. આવા નગરમાં નામથી નરપતિ રાજા પ્રસિદ્ધ થયો. તેના ઉજ્જવળ પ્રતાપરૂપ અગ્નિમાં શત્રુઓ પતંગીયા જેવું આચરણ કરે છે. તે રાજાની પટ્ટરાણીને સંતતિમાં વિસ્તાર પામતી કાંતિવાળી પ્રથમિની નામની પ્રથમ પુત્રી હતી. માણસોની પહેલી સંતતિ અત્યંત માન્યતાને પામે છે. વિશિષ્ટ માણસની પ્રથમ સંતતિ વિશેષથી માન્યતાને પામે છે અને મોટા માણસોની પ્રથમ સંતતિ વિશેષ કરીને માન્યતાને પામે છે. એ પ્રમાણે આ પુત્રી પાંચ ધાત્રીઓથી પાલન કરાતી, સ્નેહવૃત્તિથી એક ખોળામાંથી બીજા ખોળામાં સંચરતી, પિતાના કુલને શોભાવતી, રૂપાદિ ગુણોની સાથે સ્પર્ધા કરતી, વધતી ક્રમે કરીને શૈશવને ઓળંગ્યું. પિતાએ મનમાં આ પ્રમાણે ચિંતા કરી–વિચાર્યું કે, (રૂપાદિ) સંપત્તિથી જેની કોઇ સ્પર્ધા કરી શકે તેમ નથી એવા આ કન્યારત્નનો અનુરૂપ વર કોણ થશે ? ખરેખર ! તેવા