________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૩૭
કરાતો નથી? અર્થાત્ સઘળા ય વડે સત્કાર કરાય છે. તે કન્યાના વિવાહના ઉત્સાહપૂર્વકના મહોત્સવના પ્રવાહથી અર્થાત્ ઉત્સવ ઉપર ઉત્સવ એમ ઉત્સવોની પરંપરાથી તેનો મહાન મહિમા થયો. અથવા તો પુણ્યથી અતિદુર્લભ શું છે? અર્થાત્ સઘળું ય સુલભ છે. ત્યાર પછી કાર્યને જાણનારા સહસ્રવીર્ય રાજાએ સઘળાય રાજાઓની સાથે પુત્રને બોલાવીને પોતાના નગરને પ્રાપ્ત કર્યું. શ્રીમંતોની સાથે અને સામંતોની સાથે તે રાજા નિરુપમ મહોત્સવીપૂર્વક કૃષ્ણની લીલાથી પોતાના નગરમાં પ્રવેશ્યો. પ્રસેનજીત રાજાએ જેવી રીતે ઘણી ઋદ્ધિપૂર્વક ભંભાસાર(શ્રેણિક)નો રાજયાભિષેક કર્યો હતો તે રીતે કોઇક વખતે શુભ દિવસે તે રાજાએ પુણ્યસારનો ઘણી ઋદ્ધિથી રાજ્યાભિષેક કર્યો. રાજયના દાનથી દૂર થયો છે (દીક્ષા લેવામાં થતો) પ્રતિબંધ જેનો એવા સારી બુદ્ધિવાળા રાજાએ
સ્વયં વિધિપૂર્વક દીક્ષા લીધી અને પરમપદને ( મોક્ષને) પામ્યા. જોકે તે પુણ્યસાર રાજાએ પૂર્વે રાજયઋદ્ધિને પ્રાપ્ત કરી છે છતાં પણ રામની જેમ તે પિતાના રાજયથી અતિશય શોભ્યો. કારણ કે પિતાની લક્ષ્મી અધિક આનંદ માટે થાય છે. પૂર્વે દિવ્યવાણી થવાની સાથે સઘળાય રાજાઓએ કન્યા, સૈન્ય વગેરેના દાનથી તેનું અતિશય સન્માન કર્યું હતું. છતાં માણસોની પ્રસિદ્ધિ વિજય કરાવનારી હોય છે એથી અભિમાની એવા પણ બીજા રાજાઓએ પોત પોતાના ભેંટણા ધરવા વડે તેનું સન્માન કર્યું.
હવે પોતપોતાના મોટા મદથી ઉદ્ધત થયેલા જે અજ્ઞાનીઓએ તેની અવજ્ઞા કરી હતી તેઓને પૂર્વની જેમ સાનિધ્ય કરનારા દેવે તે રીતે ભય પમાડ્યો કે જેથી નકામી એવી દર્પકથાનો ત્યાગ કરીને અને ઘણા ભટણાઓ લાવીને કિંકરની જેમ પુણ્યસાર રાજાની સેવા કરી. આ પ્રમાણે આઠેય દિશાઓમાં સૂર્યના પ્રકાશની જેમ સર્વત્ર પણ અપ્રતિહત એવી તેની આજ્ઞા પૃથ્વીના છેડા સુધી પ્રસરી. ઈન્દ્રની જેમ તે રાજાનું આ પ્રમાણે દેવના સાન્નિધ્યથી પૃથ્વી ઉપર અખંડ ત્રણ ખંડનું અધિપતિપણું થયું. દિગ્વિજય માટે યાત્રા નથી કરી, સૈન્યની ગોઠવણી નથી કરી, યુદ્ધ નથી કર્યું, બાહુયુદ્ધ નથી કર્યું, દૂત મોકલવો વગેરે પણ નથી કર્યું, દાન ન કર્યું, અર્થાત્ લાંચ આપી નથી, ભેદ પણ નથી કર્યો, અર્થાત્ શત્રુસૈન્યને ફોડી નાખવા ઈત્યાદિ ભેદ નથી કર્યો, દંડ નથી કર્યો અને દેવની આરાધના વગેરે નથી કરી તો પણ તેનું આવા પ્રકારનું ઐશ્વર્યા છે. અહો સુકૃતનો વિલાસ ! ત્રણ ખંડના અધિપતિ એવા તે રાજાની સૌધર્માધિપતિની જેમ પૂર્વે કહેલી આઠ પણ પટ્ટદેવીઓ હતી. અને તે દરેક પટ્ટદેવીને એક એક હજાર સેવક હતા. તે રાજાને બીજી પણ આઠ હજાર રાણીઓ હતી. વિશ્રુત હોવા છતાં શ્રુતના સાગર, વિરક્ત હોવા છતાં વિશુદ્ધિને ધારણ કરનારા, નિઃસંગ (સંગ રહિત) હોવા છતાં સારી રીતે સંગ કરી શકાય એવા ગુરુ ભગવંત ત્યાં આવ્યા. સારપરિવારને આગળ કર્યો છે જેણે