________________
૨૫૦
આચારપ્રદીપ
શીત, ઉષ્ણ અને સાધારણ એમ કાળ ત્રણ પ્રકારનો જાણવો. સાધારણ કાળમાં આહારની માત્રા (=પ્રમાણ) આt=હમણા જ ઉપર જણાવી તે) જાણવી.
હવે શીત અને ઉષ્ણ કાળની માત્રાને કહે છે– सीए दवस्स एगो, भत्ते चत्तारि अहव दो पाणे । उसिणे दवस्स दुन्नि उ, तिन्नि व सेसा उ भत्तस्स ॥२॥[पिण्ड नि०६५२]
શીતકાળમાં દ્રવનો=પાણીનો એક ભાગ, ભક્તના ચાર ભાગ. અથવા મધ્યમ શીતકાળમાં દ્રવના=પાણીના બે ભાગ, ભક્તના ત્રણ ભાગ. આ પ્રમાણે મધ્યમ ઉષ્ણકાળમાં દ્રવના=પાણીના બે ભાગ, ભક્તના ત્રણ ભાગ, અતિ ઉષ્ણકાળમાં દ્રવના પાણીના ત્રણ ભાગ, ભક્તના બે ભાગ. (એક ભાગ તો કાયમ માટે વાયુના સંચાર માટે ન્યૂન રાખવો.) આ પ્રમાણે મિત અને નિરવ=નિર્દોષ આહાર ગ્રહણ કરવામાં સાધુને દરરોજ ઉપવાસ જ છે. જેથી કહ્યું છે કે,
निरवज्जाहाराणं, साहूणं निच्चमेव उववासो। રેસૂUપુત્રવાપિ પાન્નયંતા સામuvi I ? [જ્ઞાનવ-૨૫]
દેશોન પૂર્વે ક્રોડ વર્ષ સુધી પણ ચારિત્રનું પાલન કરતા, નિરવઘ આહાર કરતા સાધુઓને નિત્ય જ ઉપવાસ છે.
તથા– છઠ્ઠ, અટ્ટમ આદિ વિશેષ તપ કરવા છતાં પણ પારણામાં ઊણોદરિકાથી જ વિશેષ લબ્ધિઓ સંભવે છે. જેમ કે મુઠ્ઠી વાળતા નખ અડે એટલા કુલ્માષ=અડદના બાકુળા અને ચુલુક જેટલા પાણીથી છઠ્ઠનું પારણું કરવાનું, આ રીતે છ મહિના સુધી નિત્ય છઠ્ઠ તપ કરવાથી વ્રતીને તેજલેશ્યા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રી વીરજિને કહેલી વિધિથી ગોશાળાને તેજલેશ્યા ઉત્પન્ન થઈ. આ પ્રમાણે ઊણોદરિકા પૂર્ણ થઇ.
| (૩) વૃત્તિસંક્ષેપ જેનાથી વર્તાય તે વૃત્તિ એટલે ભિક્ષા. તેનો સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. અને તે 'દત્તિનું પરિમાણ કરવા રૂપ નિયમ કરવો, એક, બે, ત્રણ વગેરે ઘરનો નિયમ કરવો અને શેરી, અર્ધ ગામ, ગામનો નિયમ કરવો. દ્રવ્ય વગેરે અભિગ્રહોનો આની અંદર જ સમાવેશ થઈ જાય છે. તેમાં...
દ્રવ્યથી– આજે મારે નિર્લેપભિક્ષા જ ગ્રહણ કરવી, એક, બે આદિ દત્તિ રૂપ જ ૧. અખંડ ધારાથી અપાતું દ્રવ્ય જ્યાં સુધી ધારા ખંડિત ન થાય ત્યાં સુધી એક દત્તિ કહેવાય, ધારા
ખંડિત થતા દત્તિ વધતી જાય.