Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 265
________________ ૨૫૬ આચારપ્રદીપ યોગસંલીનતા- અકુશલ મન, વચન, કાયા રૂપ યોગોનો નિરોધ કરવો અને કુશળ મન, વચન, કાયા રૂપ યોગોની ઉદીરણા કરવી તે યોગ સંલીનતા છે. જેથી કહ્યું છે કે, अपसत्थाण निरोहो, जोगाणमुदीरणं च कुसलाणं । कज्जंमि अ विहिगमणं, जोगे संलीणया भणिआ ॥१॥ અકુશલ યોગોનો નિરોધ કરવો અને કુશલ યોગોની ઉદીરણા કરવી અને કાર્ય ઉત્પન્ન થયે છતે વિધિપૂર્વક ગમન કરવું તે યોગસંલીનતા કહેલી છે. વિવિક્તચર્યા– વિવિક્તચર્યા એટલે વિવિક્તશયનાસનતા. જેની વ્યાખ્યા અનંતર (સંલીનતાની શરૂઆતમાં) કરી છે. ચારે પ્રકારની પણ આ સંલીનતાનું ગજસુકુમાલ આદિ મહર્ષિઓની જેમ અને પૌષધ કરનારા સુદર્શન શ્રેષ્ઠી આદિ શ્રાવકની જેમ પાલન કરવું જોઈએ. આ પ્રમાણે સંલીનતા પૂર્ણ થઈ. આ પ્રમાણે છ પ્રકારનો બાહ્ય તપ પૂર્ણ થયો. આહારાદિ બાહ્યદ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી, પ્રાયઃ બાહ્યશરીરને તપાવતું હોવાથી, લૌકિકો વડે પણ તારૂપે જણાતું હોવાથી અને કુતીર્થિકો વડે પણ પોતાના અભિપ્રાયથી સેવાતું હોવાથી આ છ પ્રકારનો તપ બાહ્યતપ કહેવાય. અત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત અતિચારની વિશુદ્ધિનું કારણ છે. પ્રાયઃ=ઘણું કરીને આમાં ચિત્ત યથાવસ્થિત રહે છે માટે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અને તે પ્રાયશ્ચિત્ત આલોચના વગેરે દશ પ્રકારનો છે. જેથી ઋષિવચન છે કે, आलोअण १ पडिकमणे २, मीस ३ विवेगे ४ तहा विउस्सग्गे५ । तव ६ छेअ ७ मूल ८ अणवट्ठिए ९ अपारंचिए १० चेव ॥१॥[व्यवहारसूत्र नि-१६] આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત. - આલોચના– ગુરુની આગળ પોતાના અપરાધને પ્રગટ કરવો. ક્યારેક તેટલા માત્રથી (=ગુરુ પાસે પોતાના અપરાધને પ્રગટ કરવા માત્રથી) શુદ્ધિ થાય છે. જૈમ કે,

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310