________________
ચોથો પ્રકાશ - તપાચાર
૨૪૯
(૫) કિંચિત્ જૂન– જેમાં પચીસ કોળીયાથી માંડીને એકત્રીસ કોળીયા સુધીનો આહાર
હોય તે કિંચિત્ જૂન ઊણોદરિકા છે.
બધી જગ્યાએ જઘન્ય વગેરે ભેદ પૂર્વની જેમ ભાવવા=જાણવા. આ અનુસાર પાન સંબંધિ ઊણોદરિકા પણ ભાવવી =વિચારવી. તથા સ્ત્રીઓને પણ આ રીતે પુરુષને અનુસારે ઊણોદરિકા જાણવી. ક્રોધ આદિનો ત્યાગ કરવો તે ભાવથી ઊણોદરિકા છે. જેથી કહ્યું છે કે,
कोहाईणमणुदिणं, चाओ जिणवयणभावणाओ उ। માવેજોાિ , પન્ના વીરાહિં ? [સ્થાનાÉ સૂત્ર.૨૮૨ વૃત્ત]
જિનવચનની ભાવનાઓથી દરરોજ ક્રોધ આદિનો ત્યાગ કરવો તેને વીતરાગ ભગવંતોએ ભાવ. ઊણોદરિકા કહી છે.
દરરોજ કરાતી ઊણોદરિકા તપરૂપ હોવાથી અને વિશેષ કરીને બીજાઓથી નહીં જણાતી હોવાથી બહુ ફળવાળી છે. ઉપવાસ વગેરે તપ જે રીતે બીજાઓથી જણાય છે તે રીતે ઊણોદરિકા બીજાઓથી જણાતી નથી. ઊણોદરિકામાં નિરોગીપણું વગેરે ગુણો છે. કારણ કે,
हिआहारा मिआहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥१॥[पिण्ड नि०६४८]
જે પુરષો હિત આહારવાળા છે, મિત આહારવાળા છે, અલ્પ આહારવાળા છે તેઓની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. તેઓ પોતે પોતાની ચિકિત્સા કરનારા છે.
સાધુને આશ્રયી મિત આહારપણું પિંડનિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે, अद्धमसणस्स सवंजणस्स कुज्जा दवस्स दो भागे।। વી પવિરાટ્ટા, છગ્યા પણ ક્યા છે ? . [fપve નિ.૬૦]
અહીં છ ભાગ કરેલા ઉદરનો અર્ધો ભાગ ( ત્રણ ભાગ) તક્ર, શાક વગેરેથી સહિત જે વ્યંજન તેનાથી સહિત અશનનો આહાર કરે. અર્થાતુ અશનરૂપ આહારથી અર્ધ ઉદર (==ણ ભાગ) ભરે. તેના બે ભાગ પાણીના ભરે. છઠ્ઠો ભાગ તો વાયુના પ્રચાર માટે ન્યૂન કરે.
सीओ उसिणो साहारणो अ कालो तिहा मुणेअव्वो । साहारणमि काले, तत्थाहारे इमा मत्ता ॥ १ ॥ [पिण्ड नि०६५१]