________________
ચોથો પ્રકાશ – તપાચાર
રહેલા છે કે જ્યાં સુધી રોકટોક વિના અન્ન અને પાણીનો પ્રવેશ ત્યાગ કરવામાં (=રોકવામાં) આવતો નથી.
कषायविषयाहार-त्यागो यत्र विधीयते ।
પવાસ: સ વિજ્ઞેયઃ, શેષ ઙૂન વિદુઃ ॥ ૨॥
૨૪૭
જેમાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ જાણવો. બાકીનું બધુ લાંઘણ જાણવું.
અહીં દૃઢપ્રહારીનું દૃષ્ટાંત છે. જેમ કે—
દૃઢપ્રહારીનું દૃષ્ટાંત
કોઇક અત્યંત અન્યાયી બ્રાહ્મણને રાજાએ નગરમાંથી બહાર કાઢી નાખ્યો. અને
તે ચોરની પલ્લીમાં ગયો. ચોરપલ્લીના સ્વામીએ તેને પુત્ર રૂપે સ્થાપિત કર્યો. ચોરપલ્લીનો સ્વામી મરે છતે તે ચો૨પલ્લીનો સ્વામી થયો. સર્વત્ર નિર્દયપણે પ્રહાર કરતો હોવાથી દઢપ્રહારી એ પ્રમાણે પ્રસિદ્ધ થયો. કોઇક વખત કુશસ્થલ ગામને લૂંટવા માટે ગયો. તેનો એક ચોર દેવશર્મા નામના નિર્ધન બ્રાહ્મણના ઘરમાં ભિક્ષા માગીને પકાવેલી ખીરને ચોરી ગયો. બ્રાહ્મણના છોકરાઓ રોકકળ કરે છતે ગુસ્સે થયેલા, પરિઘથી પશુની જેમ ચોરને મારતા બ્રાહ્મણને જોઇને તેની રક્ષા માટે દોડતા પલ્લીપતિએ સામે થયેલી ગાયને, બ્રાહ્મણને અને જેની પ્રસૂતિ નજીકમાં થવાની છે તેવી બ્રાહ્મણીને મારી. બ્રાહ્મણીની કુક્ષિનો છેદ થવાથી ટૂકડા થયેલા, તડફડતા ગર્ભને જોઇને જેને દયા ઉત્પન્ન થઇ છે એવો, પ્રશ્ચાત્તાપપૂર્વક ઉદ્યાનમાં સાધુ પાસે દીક્ષા લીધી છે એવો દૃઢપ્રહારી ‘જે દિવસે હત્યાનું પાપ યાદ આવશે તે દિવસે હું ભોજન નહીં કરું, અને સર્વથા ક્ષમાને ધારણ કરીશ' એ પ્રમાણેના બે અભિગ્રહને લઇને તે જ ગામમાં વિચર્યો. ભિક્ષા માટે ગામમાં જતાં લોકો આક્રોશ વગેરેથી તે પાપ યાદ કરાવે છે. આથી ક્યારે પણ ભોજન ન કર્યું. આ પ્રમાણે છ મહિને સિદ્ધ થયો. આ પ્રમાણે ‘અનશન’ નામનો પ્રથમ ભેદ પૂર્ણ થયો. (૨) ઊણોદરી
ઊન=ન્યૂન ઉદર તે ઊનોદ૨. તેને કરવું તે ઊણોદરિકા. ‘નામ્નિ પુંસિ વ' એ સૂત્રથી ક્ પ્રત્યય લાગવાથી રૂપની સિદ્ધિ થઇ છે. આ તો માત્ર વ્યુત્પત્તિ છે. શબ્દની પ્રવૃત્તિ તો ઊનતા માત્રમાં છે. ઊણોદરિકા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. દ્રવ્યથી ઊણોદરિકા ઉપકરણ, ભક્ત=ભોજન અને પાન=પાણીના વિષયવાળી છે. તેમાં ઉ૫ક૨ણ સંબંધી ઊણોદરિકા જિનકલ્પિકો વગેરેને અથવા તો જિનકલ્પના અભ્યાસમાં તત્પર થયેલાઓને