________________
ચોથો પ્રકાશ - તપાચાર
૨૪૫
अणसण १ मूणोअरिआ २ वित्तीसंखेवणं ३ रसच्चाओ ४ । कायकिलेसो ५ संलीणया य ६ बज्झो तवो होइ ॥१॥ [ दशवै नि.गा.४७]
અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આ બાહ્ય તપ છે. पायच्छित्तं १ विणओ २, वेआवच्चं ३ तहेव सज्झाओ ४ । झाणं ५ उस्सग्गोऽविय ६, अब्भितरओ तवो होइ ॥ २ ॥[दशवै नि.गा.४८]
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ તથા સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ આ અત્યંતર તપ છે.
(૧) અનશન બાહ્ય તપમાં અનશન બે પ્રકારનું છે. ઇવર અને માવજજીવિક. શ્રી વીર ભગવંતના તીર્થમાં ઇવર તપ નવકારશીથી માંડીને છ મહિના સુધીનો છે. શ્રી ઋષભજિનના તીર્થમાં ઇવર તપ નવકારશીથી માંડીને સંવત્સર સુધીનો હતો. મધ્યમ (બાવીશ) તીર્થકરના તીર્થોમાં તો આઠ મહિના સુધીનો હતો. શ્રેણિતપ, પ્રતરતપ, ઘનતપ, વર્ગતપ, યવમધ્યતપ, ચંદ્રતપ, ચંદ્રાયણતપ, કનકાવલીતપ, રત્નાવલીતપ, મુક્તાવલીતપ, સિંહનિષ્ક્રીડિતતપ વગેરે વિવિધ તપોનો અનશન તપની અંદર સમાવેશ ન થઈ જાય છે.
માવજીવિક તપ પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાનના ભેદથી ત્રણ પ્રકારનો છે. તેમાં.... निप्फाइआ य सीसा, गच्छो परिपालिओ महाभागो। अब्भुज्जओ विहारो, अहवा अब्भुज्जयं मरणं ॥१॥
શિષ્યોની નિષ્પત્તિ કરી=નવા નવા શિષ્યો તૈયાર કર્યા, મહા ભાગ્યશાળી ગચ્છનું સારી રીતે પાલન કર્યું, હવે અભ્યઘત વિહાર=જિનકલ્પ આદિ વિહાર અથવા અભ્યદ્યતમરણ=પાદપોપગમન આદિ મરણનો સ્વીકાર કરે.
દિશા અને વય પરિણામ પામે છતે દેવ અને ગુરુને નમસ્કાર કરીને તેમની પાસે જેણે અનશનનો સ્વીકાર કર્યો છે એવો સાધુ ગિરિની ગુફા વગેરેમાં ત્રસ અને સ્થાવર જીવથી રહિત ચંડિલ ભૂમિમાં વૃક્ષની જેમ આંખ પટપટાવવા વગેરેમાં પણ ચેષ્ટા વગરનો, પહેલાં સંઘયણવાળો, કોઇપણ જાતના (પડખું ફેરવવું વગેરે) પ્રતિકર્મથી રહિત જે તે સંસ્થાનની પ્રશસ્ત ધ્યાનથી પ્રાણના અંત સુધી રહેવું તે પાદપોપગમન અનશન છે.