Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 262
________________ ચોથો પ્રકાશ – તપાચાર રસત્યાગ લાંબા સમય સુધી, યાવજ્જીવ સુધી પણ કરી શકાય છે. ઉપવાસ વગેરે તો કેટલોક સમય સુધી જ કરી શકાય છે. ઉપવાસ વગેરે તો લોકમાં પણ ઘણા કરે છે. રસત્યાગ તો તત્ત્વને જાણનારા જ કરે છે. આથી ઉપવાસ આદિ કરતાં પણ રસત્યાગ અધિક ફળવાળું છે. આથી જ મોક્ષના અર્થી એવા ઘણા મુમુક્ષુઓ વિગઇ ત્યાગ વગેરેનો વિશેષથી આદર કરે છે. જેમ કે, શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય લઘુશાંતિસ્તવની રચના કરનારા, શ્રી સૂરિમંત્ર આપવાના અવસરે તેમના ખભા ઉપર લક્ષ્મી અને સરસ્વતીને જોઇને આ આના ચારિત્રનો ભ્રંશ ક૨ના૨ી ન થાઓ એ પ્રમાણે વિચારીને શ્યામમુખવાળા ગુરુ થયે છતે શ્રી માનદેવસૂરિએ યાવજ્જીવ સુધી વિગઇ વગેરેનો અભિગ્રહ કર્યો. જેથી કહ્યું છે કે, भक्तं भक्तस्य लोकस्य, विकृतीश्चाखिला अपि । आजन्म नैव भोक्ष्येऽह-ममुं नियममग्रहीत् ॥ १ ॥ ભક્તજનનું ભોજન અને સઘળીય વિગઇઓ જાવજીવ સુધી હું નહીં જ ભોગવું=વાપરું એ પ્રમાણે તેમણે (આ. માનદેવસૂરિએ) અભિગ્રહ કર્યો. ૨૫૩ તથા આઘાટનગરમાં રાજાની સભામાં બત્રીસ દિગંબરવાદીઓને જીતવાથી ‘હીરલા’ એવું બિરુદ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા શ્રી જગચંદ્રસૂરિએ યાવજ્જીવ આયંબિલનો અભિગ્રહ કર્યો અને બાર વર્ષ સુધી તે તપ કરવાથી ‘તપા’ એ પ્રમાણે ખ્યાતિ મેળવી. આ પ્રમાણે રસત્યાગ પૂર્ણ થયો. (૫) કાયક્લેશ વીરાસન વગેરે ઉગ્ર આસન કરવા શરીરનું પ્રતિકર્મ ન કરવું, કેશનો લોચ કરવો વગેરેથી શાસ્ત્રની સાથે વિરોધ ન આવે તે રીતે શરીરને બાધા પહોંચાડવારૂપ વિવિધ પ્રકારનો કાયક્લેશ છે. જેથી કહ્યું છે કે, वीरासणउक्कुडुआसणाइ लोआइओ अ विन्नेओ । कायकिलेसो संसारनासनिव्वे अहेउत्ति ॥ १ ॥ वीरासणासु गुणा, कायनिरोहो दया य जीवेसु । પુરતોઞમડું ઞ તત્તા, વહુમાળો ચેવ અન્નતિ ॥ ૨ ॥ निस्संगया य पच्छा पुरकम्मविवज्जणं च लोअगुणा । दुक्खसहत्तं नरगाइभावणाए अ निव्वेओ ॥३॥ વીરાસન, ઉત્કટ આસન આદિ આસનો અને લોચ વગેરેને કાયક્લેશ જાણવો.

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310