________________
૨૫૨
આચારપ્રદીપ
રાજાની પુત્રી હોય, દાસીપણાને પામી હોય, બેડીથી બંધાયેલી હોય, માથે મુંડિત હોય, ભૂખી થયેલી હોય, રડતી હોય, આવી જો સુપડાના ખુણાથી આપશે તો જ હું પારણું કરીશ. આ પ્રમાણે અભિગ્રહ કર્યો. ઘરે ઘરે દરરોજ ભમતાં છ મહિનામાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે ચંદનબાળાથી તે અભિગ્રહ પૂર્ણ થયો. ભીમ પાંડવે પણ ચારિત્રનો સ્વીકાર કરીને ભાલાના અગ્રભાગથી અપાયેલી જ ભિક્ષાને હું ગ્રહણ કરીશ અન્યથા ગ્રહણ નહીં કરું એ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. પુણ્યશાળી તેનો તે પણ અભિગ્રહ છ મહિને પૂર્ણ થયો. સત્ત્વથી શુદ્ધ મનવાળાઓને કંઈ પણ દુર્લભ નથી. આ પ્રમાણે વૃત્તિસંક્ષેપ પૂર્ણ થયું.
(૪) રસત્યાગ દૂધ, દહીં વગેરે રસોને વિકારનું કારણ હોવાથી વિકૃતિ શબ્દથી કહેવા યોગ્ય છે, અર્થાત્ વિકૃતિ શબ્દથી ઓળખાતા મઘ, માંસ, મધ, માખણ અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, અવગાહિમ=પકવાન્ન વગેરેનો યથાશક્તિ બધી વિગઈનો અથવા કેટલીક વિગઈનો હંમેશ માટે કે વર્ષ, છ મહિના, ચાર મહિના વગેરે કાળ સુધી ત્યાગ કરવો તે રસત્યાગ. જેથી નિશીથભાષ્યમાં કહ્યું છે કે, विगई विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥१॥[निशीथभाष्य-१६१२]
| વિગતિ એટલે દુર્ગતિ. તેનાથી ભય પામેલો જે સાધુ અને ઉપલક્ષણથી શ્રાવક વગેરે પણ દૂધ વગેરે વિગઈને અને વિગઈથી મિશ્ર ખીર વગેરે અને શર્કરાખાંડથી મિશ્ર પાણી વગેરે વિકૃતિગત ખાય છેઃવાપરે છે તેને શું દોષ થાય ? તે કહે છેવિકૃતિ=વિકારના સ્વભાવવાળી આ વિગઈ અવશ્ય વિકારને કરનારી છે, આથી આ વિગઈ બલાત્કારે પણ નરક વગેરે વિગતિ દુર્ગતિ પમાડે છે=દુર્ગતિમાં લઈ જાય છે.
જ્યારે પણ પુષ્ટ આલંબન આદિના કારણે વિગઈ ગ્રહણ કરે છે ત્યારે પણ ગુરુને પૂછવું વગેરે વિધિથી જ ગ્રહણ કરે છે. નિશીથભાષ્યમાં જ કહ્યું છે કે, इच्छामि कारणेणं, इमेण विगई इमं तु भोउं जे । અવયં વાવિ પુvો, પવફા વિવિધviમિ ? A [નિશીથમાણ-ઘ૩]
અહીં ચૂર્ણિ આ પ્રમાણે છે– વિનયપૂર્વક ગુરુને વંદન કરીને કહે કે, આ કારણથી આ વિગઈને આટલા પ્રમાણથી આટલા કાળ સુધી આપના વડે રજા અપાયેલો હું ભોગવવા માટ=વાપરવા માટે ઇચ્છું છું. આ પ્રમાણે પૂછ્યા પછી, રજા અપાયા પછી ભિક્ષા માટે પ્રવેશેલો (સાધુ વિગઈને) ગ્રહણ કરે. ગાથામાં “જે છે તે પાદપૂર્તિ માટે છે.