________________
ચોથો પ્રકાશ - તપાચાર →?*
*
જેના વડે શ૨ી૨, કર્મ વગેરે તપાવાય તે તપ. તેથી કહ્યું છે કે— रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुक्राप्यनेन ताप्यन्ते ।
कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥ १ ॥
રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને અશુભ કર્મો આનાથી તપાવાય છે આથી નિરુક્તિથી ‘તપ’ એ પ્રમાણે કહેવાય છે. તપ (આ લોક અને પરલોક એમ) બંને ભવમાં સર્વ કાર્યને સાધનારું છે. કારણ કે—
तपः सकललक्ष्मीनां, नियन्त्रणमशृङ्खलम् । પ્રત્યુત્તોતમૂતાવિ-રક્ષામન્ત્રો નિરક્ષરઃ ॥ ૧ ॥
તપ સંકલલક્ષ્મીનું બેડી વગરનું નિયંત્રણ છે. વિઘ્ન, પ્રેત, ભૂત આદિની રક્ષા કરનારો અક્ષર વિનાનો મંત્ર છે.
अथिरं पि थिरं वंकं पि, उज्जुअं दुल्लहं पि तह सुलहं । તુલ્લાં પિ સુતાં, તવેળ સંપત્ત્તત્ Ē ॥ ૨ ॥ [ તવાજ-[॰રૂ ] તપથી અસ્થિર કાર્ય પણ સ્થિર થાય છે, વાંકુ કાર્ય પણ સીધું થાય છે, દુર્લભ કાર્ય પણ સુલભ થાય છે, દુસાધ્ય કાર્ય પણ સુસાધ્ય થાય છે.
'सव्वासि पयडीणं परिणामवसादुवक्कमो भणिओ । पायमनिकाइआणं तवसा उ निकाइआणं पि ॥ ३ ॥ [ हितोपदेश गा० १९४]
પરિણામના વશથી પ્રાયઃ સર્વ અનિકાચિત પ્રકૃતિઓનો ઉપક્રમ કહેલો છે. તપથી તો નિકાચિત પ્રવૃત્તિઓનો પણ ઉપક્રમ કહેલો છે.
કર્મની નિર્જરા માટે જ તપ કરવો જોઇએ. જેથી પરમઋષિનું વચન છે કે, "नो इहलोगट्टयाए तवमहिद्विज्जा, नो परलोगट्टयाए तवमहिट्टिज्जा, नो कीत्तिवण्णसद्दसिलोगट्टयाए, तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्टयाए तवमहिट्ठिज्जा" [ શવન્ગ૧ ૩.૪. સૂ.૪]
આ લોક માટે (લબ્ધિ આદિની પ્રાપ્તિ માટે) તપ ન કરવો જોઇએ, પરલોક માટે (દેવેન્દ્ર આદિની પ્રાપ્તિ માટે) તપ ન કરવો જોઇએ, (સર્વ દિશામાં વ્યાપે તે) કીર્તિ, (એક