________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૩૫
પ્રકારના શુભ ઉદયવાળો કોણ છે? સઘળી ય કન્યાઓમાં અતિશાયિની અને સ્વયંવિદુષી એવી આ કન્યાનો સ્વયે વરવા માટે સ્વયંવર રચવો યોગ્ય છે.
આ પ્રમાણે વિચારીને તેણે અખંડ શોભાવાળી વેલડીઓથી શોભતો, માંચડાઓથી યુક્ત, અત્યંત મોટો સ્વયંવર મંડપ રચાવ્યો. તેમાં પુત્રોની સાથે રાજાઓ આમંત્રિત કરાયા. હું પહેલો, હું પહેલા કરતા રાજાઓ ત્યાં આવ્યા. અહો ! વિષયની આસક્તિ ! ભો ! અહીં હું એક જ જનને ભોજન કરાવીશ એ રીતે શ્રાદ્ધમાં નિર્ણય જાહેર કરે છતે બ્રાહ્મણો ભોજન કરવા માટે શ્રાદ્ધમાં પણ જતાં નથી. તે રીતે ત્યાં લગ્નમાં (એક જ જનને કન્યા પરણશે એવું જણાયું હોવા છતાં પણ સ્પૃહાવાળા બધા પણ આ રીતે દોડ્યા. નકામા જ મહા ઉદ્યમને ધિક્કાર છે. અથવા તો એવા મોટા માણસો પણ કોણ છે કે જે કામરાગથી કે લોભના ઉન્માદથી જલદીથી મોહ નથી પામતા. અર્થાત્ સઘળાય મોહ પામે છે. અહો ! ઓ કોઈ પણ મોહનો વિલાસ છે ! હવે શતકાર રાજાને નિમંત્રણ આવ્યું છે એ પ્રમાણે વિદ્વાનોમાં અગ્રેસર એવા પુણ્યસારે જાણીને વિચાર્યું કે, (કન્યા મને પરણશે કે નહીં) એવા પ્રકારના સંશયથી બળેલા કાર્યમાં જવું બુદ્ધિશાળીને યોગ્ય નથી. અને કૌતુકથી ઉચક મનવાળાઓથી અહીં રહેવું શક્ય નથી. તેથી ગુપ્ત રીતે હું ત્યાં જઈશ અને માંચડા ઉપર સારી રીતે રહીશ, કૌતુકને જોઇશ અને સ્વયંવરા એવી કન્યાને કદાચ પરણીશ પણ. આ પ્રમાણે વિચારીને પિતા વગેરેને મોકલીને હું નહીં આવું એવા બહાનાથી તે ત્યાં રહ્યો. અને સ્વયંવરના દિવસે દેવતાને યાદ કરવાથી તે ત્યાં ગયો.
ના સ્વયંવરમાં રાજાઓ અત્યંત સુખપૂર્વક બેસે છતે અને માંચડાઓ ઉપર ચારેબાજુ પ્રેક્ષકવર્ગ પ્રસરે છતે કબડો થયેલો, કૌતુક જોવામાં ઉત્સુકતાવાળો (લોકોની) સાથે ત્યાં આવેલો બીજા લોકોને દૂર કરીને વેષને વિશેષ કરતો તે છેલ્લા માંચડા ઉપર રહ્યો. જે પ્રમાણે આ રાજાઓ આવેલા છે તે પ્રમાણે અમે પણ આવેલા છીએ. સર્વ સાધારણ કાર્યમાં કોણ કોને રોકી શકે? ઈત્યાદિ બોલતા કુબડાની સાથે કૌતુકથી મશ્કરાની જેમ જેટલામાં સર્વે પણ લોકો મશ્કરી કરે છે તેટલામાં ઉત્સવોપૂર્વક દિવ્ય વેષવાળી, પાલખીમાં બેઠેલી, સખીથી સહિત કન્યા ત્યાં આવી.
શું આ રાજાની કન્યા છે? કે ઈન્દ્રની કન્યા છે? અર્થાતુ અપ્સરા છે? પ્રતિહારીએ પગલે પગલે સઘળાય રાજાઓનું વર્ણન કર્યું. તે રાજાઓને અર્થાત્ રાજાઓના વર્ણનને સાંભળતી હોવા છતાં જાણે સાંભળ્યા જ ન હોય તેમ છોડી દીધા. એક પંક્તિમાં રહેલા આ રાજાઓનો પંક્તિભેદ ન થાઓ એ પ્રમાણે જાણે ન હોય તેમ સર્વે પણ રાજાઓને તેણીએ છોડી દીધા. કારણ કે સુકૃત વિના ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી. તે રાજાઓએ સંશય, આશા,