________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
તું પોતાના મનમાં ફોગટ ચિંતા ન કર. પૂર્વે સંચિત કરેલા સુકૃત વિના ચિંતવેલુ પ્રાપ્ત કરાતુ નથી. હજી પણ તારી પટ્ટદેવીને બુધવારયુક્ત અજવાળી આઠમની જેમ માન્ય એવી આઠમી કન્યા થશે અને તારો ઉદય થશે. અને તેણીનો જે ભર્તા થશે તે રાજ્યલક્ષ્મીનો પણ સ્વામી થશે. ક્રમે કરી તારો દોહિત્રો અહીં પૃથ્વીનો શાસન કરનારો થશે. બંને કાનમાં અમૃત વરસાવનારી આકાશમાં કહેવાયેલી આ વાણીથી રાજા અતિશય ખુશ થયો. દોહિત્રની આશા પણ નાની હોતી નથી, અર્થાત્ મોટી હોય છે.
૨૩૩
ખરેખર અહીં જનમાં મહિષીની=ભેંસની સુતા=પાડી જ માન્ય થાય છે. પણ સુત=પાડો માન્ય થતો નથી. એ પ્રમાણે જાણે ન હોય તેમ રાજાની મહિષીએ=પટ્ટદેવીએ પુત્રીને જન્મ આપ્યો. આઠમી તારાની જેમ શ્રેષ્ઠ એવી તેણીના જન્મમાં વધામણી આપનારીને રાજાએ પ્રીતિથી મુકુટને છોડીને બાકીના બધા આભૂષણો આપ્યા. પ્રથમપુત્રનો જન્મ થાય અને મહામહોત્સવો કરવામાં આવે તે રીતે આ પુત્રીનો જન્મ થવાથી રાજાએ મોટી ઋદ્ધિથી વિસ્મયને કરાવનારા મોટા મહોત્સવો કરાવ્યા. આ પુત્રીના જન્મથી દુર્જય શત્રુઓના વિજયની પ્રાપ્તિ થઇ એથી રાજા વગેરેએ આ પુત્રીનું વિજયા નામ પાડ્યું. હવે આ કન્યા પોતાના ભાગ્ય, સૌભાગ્ય, ચતુરાઇ વગેરે શ્રેષ્ઠ ગુણોથી બીજી કન્યાઓને જાણે જીતતી ન હોય એમ પૃથ્વી ઉપર તેણીનું જયંતી એવું નામ કર્યું. અતિ નિર્મલ એવી તે બાલા બાલચંદ્રની કલાની જેમ ક્રમે કરીને વધતી લોકમાં પ્રમાણને ઓળંગી ગયેલા માનવાળી અર્થાત્ અતિશય માનવાળી થઇ.
કૌશલ દેશમાંથી આવેલા ગુરુ પાસેથી તેણીએ દર્પણમાં સંક્રમણના ન્યાયથી ક્લેશ વિના સ્ત્રીની ચોસઠ કલામાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું. પરણવાને યોગ્ય થયે છતે તેણીના પિતાએ વિચાર્યું કે દેવે કહેલો ભવિષ્યમાં થનારો આણીનો વર કોણ થશે ? કેવી રીતે થશે ? ક્યાં થશે ? અને ક્યારે થશે ? એટલી વારમાં તો આકાશમાં રહેલા દેવે કહ્યું કે, હે નરેશ્વર ! તું કોઇપણ જાતની વ્યગ્રતા વિના આણીની લગ્નની સમગ્ર સામગ્રી તૈયાર કર. લગ્ન સમયે ભાગ્યની અદ્ભૂત શક્તિથી ક્ષણવારમાં જ સર્વ અંગે આભૂષણને ધારણ કરનારો તે વર અહીં પ્રગટ થશે. દેવતાએ કહેલી તે વાણીથી પૂર્વે દેવે કહેલી વાણીનો સંવાદ થવાથી રાજાએ વિધિપૂર્વક બધું તે પ્રમાણે તૈયાર કર્યું. હવે વિસ્તારવાળા ઉત્સવપૂર્વક મોટા વિમાનથી ઇન્દ્રની જેમ ખેચરથી સહિત પુણ્યસાર વર ત્યાં અવતર્યો=પ્રગટ થયો. સર્વ લોકોએ આનંદના ઉદયપૂર્વક અતિશય વિસ્મય પૂર્વક તેને જોયો અને કન્યાના વિવાહનો પણ ઉત્સવ કર્યો. ખુશ થયેલા રાજાએ તેણીના કરમોચનમાં (કુમારને રાજા બનાવવાના) મહાન બહાનારૂપે યુવરાજપણું આપ્યું. અર્થાત્ પુણ્યસારને યુવરાજ બનાવ્યો. કારણ કે મનના માનેલાને ન આપવા જેવું શું હોય ? અર્થાત્ સઘળું ય આપવા યોગ્ય
15