________________
૨૩૨
આચારપ્રદીપ
તે વીણાને ત્રણ દૂષણવાળી કહી. તેમાં એક દૂષણ દંડમાં છે, બીજું તંત્રીમાં છે અને ત્રીજું : તુંબમાં છે. તુંબમાં દંડ છે તે કંઈક બળેલો છે. તંત્રી વાળથી યુક્ત છે અને તુંબ અત્યંત બાંધેલું છે. તેથી આ વિણાનો તેવા પ્રકારનો ધ્વનિ નથી. કારણ કે વિશુદ્ધ વીણામાં ધ્વનિ અત્યંત મધુર હોય છે. ત્યાર પછી પરંપરાથી બીજા ઘણા પણ દૂષણને ગ્રહણ કરીને દંડ દોષવાળો છે એમ દંડનો નિશ્ચય કરે છતે રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો. તે જ કાલે તંત્રીને છોડીને કાળો વાળ બતાવ્યો. પુણ્યસારે સ્વયં તુંબમાં ગલગ્રહ પણ સ્પષ્ટ રીતે બતાવ્યો.
ત્યાર પછી વિદ્યાધર સંબંધી વીણાને સુવિશુદ્ધ કરીને ચતુર એવા તેણે પોતાના હાથથી આદરપૂર્વક તે વીણાને વગાડી. વિશ્વને આલ્હાદ કરનારા તેના નાદના રસના ઉલ્લાસને વશ થયેલી સઘળીય પર્ષદા જાણે ચિત્રમાં આલેખેલી ન હોય તેમ ગળી ગયેલા વેદ્યાન્તરવાળી અર્થાત્ તન્મય થઈ. ત્યાર પછી તેણે કુતૂહલના ઉલ્લાસથી કેટલાકના વસ્ત્રો ગ્રહણ કર્યા. કેટલાકના કુંડલ વગેરે આભૂષણો ગ્રહણ કર્યા. કન્યાના પિતાનું પણ ' મુગુટ સ્પષ્ટ રીતે ગ્રહણ કર્યું. જ્યારે કન્યાના તો ઝળહળતા હારને હૃદય સાથે ગ્રહણ કર્યું. કલાના અભ્યાસથી કલાવાળાઓની કોઈક મોટી કુશળતા હોય છે કે જેના વશથી વિવશ થયેલા સચેતન જીવો પણ અચેતન થાય છે. પર્ષદાની અંદર પોતાની કોઈક અસાધારણ કલાને બતાવીને સઘળાય જનોને હસાવતા તેણે તે સઘળું ય પાછું આપી દીધું. મોટા ઉત્સવોની અપાર પરંપરાપૂર્વક પૂર્ણ પ્રતિજ્ઞાવાળી રાજાની તે કન્યાને તેણે પોતાના હાથમાં કરી. અર્થાત્ પરણ્યો. રાજાએ તેને હાથી, ઘોડા, સુવર્ણ, માણેક, વારાંગનાઓ, નોકરો વગેરે જે આપ્યું તેની સંખ્યા કહેવા માટે કોણ સમર્થ છે?
આ બાજુ શતધાર નગરમાં પ્રજાનું પાલન કરવામાં લાલસાવાળો, પ્રજાનું પાલન કરનારા રાજાઓના સમૂહથી પ્રાર્થના કરાયેલો પ્રજાપાલ નામનો રાજા હતો. સ્ત્રીઓથી રાજાઓ તૃપ્ત થતા નથી. આથી તે રાજા હજારો રાણીઓને ભોગવનારો હતો. તે રાણીઓને હજારો પુત્રીઓ હતી. કારણ કે સ્ત્રીઓને ચારે બાજુથી વૃદ્ધિ થાય છે. દિગંબરના મતમાં સ્ત્રીઓનો મહોદયનો નિષેધ કરાય છે. જ્યારે તે રાજાના ઘરમાં તો ત્યારે સ્ત્રીઓનો જ મહોદય થયો. પુરુષો કરતા સ્ત્રીઓ વિશે જે સત્તાવીશ સાધિક ગુણાકાર સંભળાય છે તે આ દષ્ટાંતથી ઘટે છે. અર્થાત્ પુરુષો કરતા સ્ત્રીઓ સાધિક સત્તાવીશ ગુણી હોય છે તે આ દૃષ્ટાંતથી ઘટે છે. પુત્રીઓ ઘણી છે એ પ્રમાણે અનાદરવાળો રાજા પુત્રના અત્યંત દુઃખને ધારણ કરતો ચોથી પણ વયનો આશ્રય કર્યો, અર્થાત્ વૃદ્ધ થયો. એક વખત તેણે પોતાના હૃદયમાં વિચાર્યું કે આજ સુધી પણ મને પુત્ર થયો નથી. તેથી રાજ્ય કોને આપીશ? અને સંયમ કેવી રીતે લઇશ? આ પ્રમાણે ચિંતાતુર થયેલો સરસ ભક્તિવાળો રાજા જેટલામાં જિનેશ્વરને પૂજે છે તેટલામાં આકાશમાં વાણી થઈ કે, હે વસુધાધીશ !'