________________
- ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૩૯
મુનિએ વાંદરીને કહ્યું કે, હે ભદ્ર ! હૃદયમાં સમતાને ધારણ કર. સાત ભવ સુધી પ્રાપ્ત કરેલા દ્રષના ફળને તું કેમ વિચારતી નથી? આ પ્રમાણેની ઉક્તિથી તે વાંદરી જાણે મંત્રથી બંધાયેલી ન હોય તેમ રહી.
હવે વિસ્મય પામવાથી ધર્મસારે જ્ઞાનીને પૂછ્યું ત્યારે જ્ઞાનીએ કહ્યું કે ભો ! આ ભવમાં તે મારી પ્રિયા હતી. અતિપ્રેમથી તેનામાં આસક્ત હું પિતા વગેરેથી જુદો થયો. સ્ત્રીમુખવાળા=સ્ત્રીના આદેશ મુજબ ચાલનારા, મૂર્ખ અને પિતા વગેરેથી પણ અવળા મુખવાળા પુત્રને ધિક્કાર થાઓ. ભાગ્યયોગથી સુગુરુને પામીને હું શ્રાવક ધર્મને કરું છું અને શ્રદ્ધા વગરની આ મારી પ્રિયા) જે તે ખોટા બહાનાથી મિથ્યાત્વને જ કરે છે. નિધર્મવાળા ઉપર શું સ્નેહ કરવો ? આ પ્રમાણે શિથિલ આદરવાળા થયેલા મારા ઉપર દુષ્ટ એવી આ દૈષ કરે છે. વૈરાગ્યથી મેં વ્રતનો આદર કર્યો. અર્થાતું ચારિત્ર લીધું. મિથ્યાત્વના પોષણથી અને મારા ઉપરના અતિ દ્વેષથી ક્રમે કરીને મરી. મરીને તે દુષ્ટ સાપણ થઈ. કષ્ટકારી મૂઢતાની ચેષ્ટાને ધિક્કાર થાઓ. ભાગ્યયોગે ત્યાં આવેલા અને તે વનની અંદર પ્રતિમા ધારણ કરીને રહેલા મને જોઇને દંશવા માટે આવતી મોરથી હણાયેલી મરી, મોરલી થઈ. પૂર્વના દ્વેષથી ઉપદ્રવ કરવા માટે આવતી કૂતરી વડે ખવાઈ. કૂતરી થઈ અને આ પ્રમાણે ભૂંડણી અને વાઘણ પણ થઈ. અને તે વાઘણ 'મને મારવા માટે દોડતી વચ્ચે રહેલા ખાડામાં પડી. સમગ્ર અંગોપાંગ ભાંગવાથી વાંદરાઓ વડે પણ ઉપદ્રવ કરાઈ. મરીને આ વાંદરી થઈ. પૂર્વના વેરથી મારા ઉપર ઉપસર્ગ કર્યો. ખરેખર ! જીવોનો કોઈ પણ એક પક્કો ષ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. હમણાં અમારી વાણીથી જાતિસ્મરણ જ્ઞાનને પામીને શાંતિને ધારણ કરનારી થઈ છે.
- હવે બોધ પામેલી આ આ ભવમાં નિર્વેદને પામશે અને મને ખમાવીને તરત જ અનશનનો સ્વીકાર કરીને આઠ દિવસમાં દેવલોકમાં દેવીપણું પ્રાપ્ત કરશે. તેથી હિતને ઈચ્છનારે મિથ્યાત્વ અને દ્વેષનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે પહેલાથી મિથ્યાત્વથી દુરંત દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને બીજાથી=%ષથી નરક વગેરે પણ પ્રાપ્ત થાય છે.
જીવોનો રાગ દુ:ખે કરી નિવારી શકાય તેવો છે તેના કરતા પણ દ્વેષ અતિ દુ:ખે કરી | નિવારી શકાય તેવો છે. ધર્મદ્વિષ તો સઘળા ય અર્થનો નાશ કરનારો અને અનંત પીડા અને દુ:ખને આપનારો છે. વયની અવસ્થાવિશેષથી રાગ ક્યાંક ન પણ પ્રસરે. જ્યારે દ્વેષ તો ચારે બાજુ પ્રસરતો ઋષિથી પણ દુઃખે કરી પીસી શકાય નાશ કરી શકાય તેવો છે.
આ પ્રમાણે સાંભળીને બોધ પામેલા ધર્મસારે કહ્યું કે, હે પ્રભો ! ધર્મક્રિયાના શત્રુ